For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આસામના લઠ્ઠાકાંડનો મૃત્યુઆંક 124 પર પહોંચ્યો

Updated: Feb 24th, 2019

Article Content Image

ગૌહાટી, તા.24 ફેબ્રુઆરી, 2019, રવિવાર

આસામના લઠ્ઠાકાંડના કારણે મૃત્યુ પામાનારા લોકોનો આંક ૧૨૪ થયો છે જ્યારે ૩૩૦ લોકો હજુ પણ સારવાર હેઠળ છે.  મુખ્યમંત્રી સર્બનંદા લોનોવાલ અને સ્વાસ્થ્ય મંત્રી હિમંતા સરમાએ શનિવારે ફરી આ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને આ બનાવમાં મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોને રૃપિયા બે લાખ અને લઠ્ઠાકાંના કારણે બીમાર પડનારા લોકોને રૃપિયા ૫૦,૦૦૦ની સહાયની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે ગત બે અઠવાડિયામાં દેશમાં બે લઠ્ઠાકાંડ બન્યા છે. થોડા દિવસો પહેલાં ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ઝેરી દારૃ પીવાથી ૭૦થી પણ વધુ લોકોના મોત થયા હતા.

Gujarat