અરૂણ જેટલીએ ફરીથી નાણાં મંત્રાલયનો કાર્યભાર સંભાળી લીધો
Updated: Feb 16th, 2019
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 15 ફેબ્રુઆરી, 2019, શુક્રવાર
સારવારના કારણે વર્ષમાં બીજી વખત માંદગીની રજા લઇ અમેરિકાથી પાછા ફરેલા નાણા પ્રધાન અરૃણ જેટલીએ આજે પોતાના મંત્રાલયનો હવાલો સંભાળી લીધો હતો. તેઓ એક વર્ષમાં બીજી વાર માંદગીના કારણે રજા પર ગયા હતા અને એક મહિના પછી આજે ઓફિસમાં હાજર થયા હતા. વડા પ્રધાનની સલાહ અનુસાર, રાષ્ટ્રપતિએ જેટલીને નાણા મંત્રાલય અને કોર્પોરેેટ બાબતોના મંત્રાલયનો હવાલો સોંપ્યો હતો.
જેટલીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે '(આજે) શુક્રવારે નાણા મંત્રાલયનો હવાલો સંભાળી લીધો. નાણા મંત્રાલયનો ખૂબ જ સફળતાપૂર્વક કાર્યભાર સંભાળનાર પીયુષ ગોયલનો ખૂબ આભાર'.
ગયા સપ્તાહે સારવાર પુરી કર્યા પછી અમેરિકાથી પાછા ફરેલા જેટલીએ સુરક્ષા અંગેની કેબિનેટની બેઠકમાં હાજરી આપી હતી.
Gujarat