કોલકત્તાના નવા પોલીસ કમિશ્નર બન્યા અનુજ શર્મા
Updated: Feb 19th, 2019
નવી દિલ્હી, તા. 19 ફેબ્રુઆરી 2019, મંગળવાર
અનુજ શર્માને કોલકત્તાના નવા પોલીસ કમિશ્નર બનાવવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં CBI અને મમતા બેનર્જી વિરુદ્ધ થયેલા રાજકિય ડ્રામા થયો હતો અને મમતા બેનર્જી રાજીવ કુમારના સમર્થનમાં આવ્યા હતા ત્યારથી અટકળો લગાવવામાં આવી રહી હતી કે, રાજીવ કુમારની બદલી થઇ શકે છે. રાજીવ કુમારને ક્રિમિનલ ઇન્વેસ્ટીગેશન ડિપાર્ટમેન્ટ(CID)માં ADG બનાવવામાં આવ્યા છે.
અનુજ શર્મા 1991ની બેચના IPS અધિકારી છે અને 2015માં IG(લો એન્ડ ઓર્ડર)ના પદથી ADGના પદ પર પ્રમોટ થયા હતા.
Gujarat