પુલવામા હુમલા બાદ જમ્મૂમાં હિંસા ભડકી, 12ને ઈજા, કરફ્યુ લગાવાયો
Updated: Feb 16th, 2019
નવી દિલ્હી, તા.16.ફેબ્રુઆરી 2019, શનિવાર
પુલવામામાં આતંકવાદી હુમલા બાદ જમ્મુમાં ભડકી ઉઠેલી હિંસામાં 12 લોકો ઘાયલ થયા છે.
જવાનોના મોતથી રોષે ભરાયેલા લોકોએ ગઈકાલે સેંકડો વાહનો પર હુમલા કર્યા હતા અને બંધનુ એલાન આપી દીધુ હતુ.એ પછી સ્થાનિક તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધારે વણસે નહી તે માટે સેનાની મદદ લીધી છે.સેનાએ જમ્મુના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ પણ કરી છે.
આ તોફાનો કોમી રમખાણોમાં ફેરવાય તેવી આશંકાથી કેટલાક વિસ્તારોમાં કરફ્યુ લગાવવામાં આવ્યો છે.જોકે કેટલાક સ્થળોએ લાઉડ સ્પીકરમાંથી કરફ્યુ લગાવવાની જાહેરાત બાદ પણ દેખાવકારો સ્થળ પરથી હટ્યા નહોતા.
તંત્રના કહેવા પ્રમાણે જમ્મુ સજ્જડ રીતે બંધ રહ્યુ છે.રસ્તાઓ સૂમસાન છે અને વેપાર ધંધા ઠપ્પ છે.રસ્તાઓ પર ભીડ પાકિસ્તાન વિરોધી દેખાવો કરવા ઉતરી હતી.
Gujarat