For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

21 મિનિટ સુધી મિરાજ-2000 વિમાનોએ વરસાવ્યા બોમ્બ, 300 આતંકવાદીઓનો ખાત્મો

Updated: Feb 26th, 2019

નવી દિલ્હી,તા.26.ફેબ્રુઆરી 2019, મંગળવાર

પુલવામા હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ પીઓકેમાં આતંકવાદી કેમ્પો કરેલા હુમલાથી આખી દુનિયા જોતી રહી ગઈ છે.

સૂત્રોનુ માનવામાં આવે તો આ હુમલો કરવા માટે ઉપયોગમાં લેવાયેલા મિરાજ 2000 વિમાનોના પાયલોટોએ સતત 21 મિનિટ સુધી પીઓકેમાં બોમ્બમારો કર્યો હતો.આ બોમ્બમારામાં 300 જેટલા આતંકવાદીઓનો ખાત્મો થયો હોવાનુ પણ મનાઈ રહ્યુ છે.

12 મિરાજ 2000 વિમાનો સોમવારે રાતે 3-30 વાગ્યે પીઓકેમાં પ્રવેશ્યા હતા અને 1000 કિલોના બોમ્બનો ઉપયોગ કરીને તબાહી સર્જી નાંખી હતી.21 મિનિટ સુધી ત્રણ કેમ્પો પર બોમ્બ વરસાવીને વિમાનો સફળતાપૂર્વક પોતાના એરબેઝ પર પાછા પણ ફરી ગયા હતા.

Gujarat