દહેરાદૂનમાં ભણી રહેલા 190 કશ્મીરી વિદ્યાર્થીઓની હકાલપટ્ટી કરાઇ
- મંગળવારે રાત્રે પીડીપીના નેતાઓ લઇ ગયા
Updated: Feb 20th, 2019
નવી દિલ્હી તા.20 ફેબ્રુઆરી 2019 બુધવાર
દહેરાદૂનમાં ભણી રહેલા મૂળ જમ્મુ કશ્મીરના 190 જેટલા વિદ્યાર્થીઓને કશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સૈયદ મહેબૂબા મુફ્તીના પીડીપીના નેતાઓ મંગળવારે રાત્રે બળજબરીથી કશ્મીર પાછાં લઇ ગયાં હતાં.
હાલ જમ્મુ કશ્મીરમાં જે વાતાવણ પ્રવર્તી રહ્યું છે એને લઇને જુદાં જુદાં રાજ્યોની શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરી રહેલા કશ્મીરી વિદ્યાર્થીઓ સતત ભયભીત અવસ્થામાં જીવી રહ્યા છે.
જુદા જુદા રાજકીય પક્ષો પોતાની ભાખરી શેકવા આ વિદ્યાર્થીઓની વાતોને મરી મસાલો ભરીને રજૂ કરી રહ્યાં છે. પહેલાં એવો દાવો કરાયો હતો કે દહેરાદૂનના વિદ્યાર્થીઓ ડરના માર્યા વતનમાં પાછાં ફર્યા હતા.
પરંતુ વિદ્યાર્થીઓએ એવી સ્પષ્ટતા કરી હતી કે અમને પીડીપીના નેતાઓ ડરાવી ધમકાવીને બસોમાં લઇ ગયા હતા. આ નેતાઓ બે બસ લઇને આવ્યા હતા અને અમને બસમાં બેસવાનો આદેશ આપ્યો હતો. એક બસ મંગળવારે બપોરે અને બીજી બસ રાત્રે રવાના થઇ હતી.