For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નરોડામાં પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ પુત્રી સાથે આપઘાત કર્યો હતો

પોલીસે મૃતક સામે પુત્રીની હત્યાનો અને પતિ સામે પણ ગુનો નોંધ્યો

તારા પિતાએ કંઇ આપ્યું નથી તેમ કહી પતિ હેરાન કરતો હતો

Updated: Sep 26th, 2022

અમદાવાદ,સોમવાર

કૃષ્ણનગરમાં રહેતી મહિલાએ રવિવારે સવારે નરોડા મીની કાંકરિયા તળાવમાં પોતાની પુત્રી સાથે આપઘાત કર્યો હતો. પોલીસ તપાસમાં જ્વેલર્સ પતિના માનસિક તેમજ શારિરીક ત્રાસથી કંટાળીને પત્નીએ પુત્રી સાથે આત્મહત્યા કરી હતી જેથી પોલીસે પતિ સામે ગુનો નાંેધ્યો હતો બીજીતરફ મૃતક મહિલા સામે પોતાની પુત્રીની હત્યાનો પણ ગુનો નાંેધવામાં આવ્યો છે.

તું મને ગમતી નથી, બિમાર રહે છે દવાના પૈસા ક્યાંથી લાવવાના, તારા પિતાએ કંઇ આપ્યું નથી તેમ કહી પતિ હેરાન કરતો હતો

કૃષ્ણનગર વિસ્તારમાં આર.પી. સવાણી સ્કૂલ પાસે શાયોના ઓર્ચિડ બંગલોઝમાં રહેતા ભારતીબહેન ગોરધનભાઇ મોદી (ઉ.વ.૨૭)  રવિવારે સવારે ૮ વાગે ઘરેથી શાકભાજી  લેવા જવાનું કહીને પોતાની છ વર્ષની પુત્રીને લઇને ગયા હતા  અને  નરોડા પોલીસ સ્ટેશન પાસે આવેલા મીની કાંકરિયા લેકમાં પાસે આવીને પોતાના પુત્રી સાથે તળાવમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી.

 આ બનાવ અંગે મૃતક મહિલાના પિતાએ નરોડા પોલીસ સ્ટેશનમાં  વિરાટનગર પાસે જગદીશ પાર્કમાં મોદી ગોલ્ડ પેેલેસના નામે જ્વેલર્સનો વ્યવસાય કરતા પતિ ગોરધનભાઇ મોદી સામે ફરિયાદ નોંધાવી છે તેમના જમાઇ પોતાની દિકરીને કહેતા કે તું મને ગમતી નથી, બિમાર રહે છે માટે દવાના પૈસા ક્યાંથી લાવવાના, તારા પિતાએ કંઇ આપ્યું નથી તેમ કહી પતિ  માનસિક તેમજ શારિરીક ત્રાસ આપીને હેરાન પરેશાન કરતા કરતા હતા. જેથી કંટાળીને પોતાની દિકરી માસૂમ પુત્રી સાથે આત્મહત્યા કરી હતી.

Gujarat