લેન્ડગ્રેબિંગના કૌભાંડી સંજયસિંહે સ્વામિનારાયણ ગુરૃકુલની રજાચિઠ્ઠીમાંથી બોગસ રજાચિઠ્ઠી બનાવી
Updated: Jan 25th, 2023
વડોદરાઃ લેન્ડગ્રેબિંગ કાંડના કૌભાંડી સંજયસિંહે જે રજાચિઠ્ઠીને આધારે સ્કીમો મૂકી તે રજાચિઠ્ઠી સ્વામિનારાયણ ગુરૃકુલની હોવાની વિગતો ખૂલી છે.
દોઢ લાખ ફૂટથી વધુ સરકારી જમીન પચાવી પાડનાર સંજયસિંહ પરમારે કોર્પોરેશનની બોગસ રજાચિઠ્ઠી બનાવી ગજાનંદ અને અન્ય સ્કીમ બનાવી હતી.જેથી ક્રાઇમ બ્રાન્ચના એસીપી એચ એ રાઠોડે રજાચિઠ્ઠીના નંબરને આધારે કોર્પોરેશનમાંથી રેકર્ડ તપાસ્યું હતું.
કોર્પોેરશને આવી કોઇ જ રજાચિઠ્ઠી આપી નહિં હોવાની વિગતો પોલીસને મળી છે.સંજયે રજૂ કરેલી રજાચિઠ્ઠીનો નંબર જોતાં આ રજાચિઠ્ઠી વાઘોડિયારોડ સ્વામિનારાયણ ગુરૃકુલના નામે ઇસ્યુ થઇ હોવાની અને સંજયે તેમાં ફેરફાર કરી બોગસ રજાચિઠ્ઠી બનાવી હોવાની વિગતો ખૂલી છે.
સંજયસિંહના બેન્ક વ્યવહારો પરથી બીજા આરોપીઓને શોધાશે
આરોપી સંજયસિંહ પરમારની સાથે કોણ કોણ સામેલ છે તે મુદ્દે તપાસ કરતી પોલીસ દ્વારા સંજયસિંહના બેન્ક એકાઉન્ટની ડીટેલ તપાસવામાં આવી રહી છે.જેના પરથી સંજયસિંહ કોની સાથે વ્હવહાર કરતો હતો તેની વિગતો બહાર આવશે.પોલીસ આ વ્યવહારો પરથી સંજયસિંહની પૂછપરછ કરી બીજા આરોપીઓને શોધવા કવાયત કરશે.