For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પૂર્વ વિસ્તારમાં વાહન અકસ્માતમાં ત્રણ સિનિયર સિટીઝન સહિત પાંચના મોત

નરોડા,રખિયાલ, કાલુપુરમાં વૃધ્ધ,ઓઢવમાં યુવક, કોતરપુરમાં આધેડનું મોત

નરોડા, રખિયાલ, કાલુપુરમાં રોડ ક્રોસ કરતા મોત

Updated: Sep 26th, 2022

Article Content Imageઅમદાવાદ,સોમવાર

પૂર્વ વિસ્તારમાં વાહન અકસ્માતમાં ત્રણ વૃધ્ધ સહિત પાંચ વ્યકિતના મોત થયા છે. જેમાં નરોડા, રખિયાલ અને કાલુપુરમાં વૃધ્ધનું અને ઓઢવમાં યુવકનું તથા કોતરપુરમાં આધેડનું મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નરોડામાં વૃધ્ધ અને ઓઢવમાં યુવકને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી વાહન ચાલક ફરાર ઃ નરોડા, રખિયાલ, કાલુપુરમાં રોડ ક્રોસ કરતા મોત

આ કેસની વિગત એવી છે કે દહેગામ તાલુકાના ગમીજ ગામે રહેતા દિનેશભાઇ મોતીભાઇ દરજી (ઉ.વ.૬૭) તા. ૨૫ના રોજ સાંજે નરોડા બેઠકથી નરોડા પાટિયા તરફ ચાલતા ચાલતા જતા અને રોડ ક્રોસ કરતી વખતે અજાણ્યા બાઇક ચાલકે ટક્કર મારતાં તેઓને બેભાન હાલતમાં સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું.

અમરાઇવાડી વસ્ત્રાલ રોડ મ્યુનિસિપલ સ્કૂલ પાસે ગાંધી લેપ્રોસીવ સેવા સંઘ રીટાનગર ખાતે રહેતા પુતલાબાઇ શ્યામરાવ વાણીયા (ઉ.વ.૭૦)  આજે સવારે ૬.૩૦ વાગે રખિયાલ નાગરવેલ હનુંમાન રોડ ઉપર કેવલ કાંટા પાસેથી ચાલત ચાલતા હતા અને રોડ ક્રોસ કરી રહ્યા હતા આ સમયે પૂર ઝડપે આવી રહેલી ટ્રેકની ટક્કરથી વૃધ્ધાનું સ્થળ પર મોત થયું હતું તેમજ અસારવા ચમનપુરા ખાતે જોેગણી માતાના મંદિર પાછળ જયંતિલાલ ચુનીલાલની ચાલી રહેતા પાપનભાઇ રાઇનભાઇભાઇ પટણી (ઉ.વ.૭૪) તા.૨૨ના રોજ સવારે કાલુપુર રેલવે સ્ટેશન સામેના ત્રણ રસ્તા પાસે રોડ ક્રોસ કરતા હતા આ સમયે ડમ્પરની ટક્કરથી તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સારવાર દરમિયાન આજે મોત થયું હતુ.

ઓઢવમાં વિરાટનગર રોડ ઉપર  પંચાલ વાડી પાસે રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા અને ઓઢવ ઉમિયા એસ્ટેટમાં પાવર કોટિંગનો વ્યવસાય કરતા મુકેશભાઇ ચતુરભાઇ પટેલ (ઉ.વ.૪૭) ગત, ૧૫ના રોજ  બપોરે ૧.૩૦ વાગે બાઇક ચલાવીને રબારી વસાહત રણછોડ રાય મંદિર પાસેથી પસાર થતા હતા. આ સમયે અજાણ્યા વાહન ચાલકે તેમના બાઇકને ટક્કર મારતા યુવકને માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન આજે સવારે મોત થયું હતું. ઉપરાંત નિકોલ રોડ નરોડા વિસ્તારમાં આદિશ્વરનગર ખાતે રહેતા રાકેશભાઇ ગોરધનભાઇ ગજ્રર (ઉ.વ.૫૫) ગત તા. ૨૦ના  રોજ  રાતે બાઇક લઇને કોતપુર પાસેથી પસાર થતા હતા આ સમયે ખોડિયાર માતાના મંદિર પાસે બાઇક સ્લીપ ખાતા સારવાર દરમિયાન આજે મોત થયું હતું. અકસ્માતના પાંચેય બનાવો સંદર્ભે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat