For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદ જિલ્લામાં બુધવારે કોરોનાના 28 કેસ , 1 મોત

- ધોળકામાં 61 વર્ષના પુરૂષનું કોરોનામાં મોત થયું

Updated: May 19th, 2021

અમદાવાદ,તા.19 મે 2021, બુધવારArticle Content Image

અમદાવાદ જિલ્લામાં  બુધવારે કોરોના સંક્રમણના ૨૮ કેસ નોંધાયા હતા. જેમાં ધોળકામાં  ૬૧ વર્ષના પુરૂષનું  કોરોનામાં મોત થયું હતું.

વિરમગામમાં ૧૩, સાણંદમાં  ૫, બાવળા, દસક્રોઇમાં ૩-૩, ધોલેરામાં ૨ અને દેત્રોજ, ધોળકામાં ૧-૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. 

આ સાથે જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૬,૬૯૫ થઇ છે. જેમાંથી ૬,૫૩૦ લોકો સાજા થયા છે. જ્યારે ૯૦ લોકોના કોરોનામાં મોત થઇ ચૂક્યા છે. કોરોનાના  બાવન દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે ૨૩ દર્દીઓ વિવિધ કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઇ રહ્યા છે.


Gujarat