For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જામનગરઃ ભણતરનો ભાર સહન નહીં થતાં બારમા ધોરણની વિધાર્થિનીએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

Updated: Nov 25th, 2021


- કાલાવડ તાલુકાના પ્રભુજી પીપળીયા ગામનો ભારે કરુણાજનક કિસ્સો

જામનગર તા ૨૫,

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પ્રભુજી પીપળીયા ગામ માં રહેતી બારમા ધોરણની એક વિદ્યાર્થીનીએ ભણતરનો ભાર સહન નહીં થતા ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગીનો અંત લાવી દીધો છે જેથી પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.

આ ચકચાર જનક બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના પ્રભુજી પીપળીયા ગામમાં રહેતી અને બારમા ધોરણમાં અભ્યાસ કરતી આશાબેન રામજીભાઈ વઘેરા નામે ૧૮ વર્ષની વિદ્યાર્થીનીએ ગઈકાલે પોતાના ઘેર પંખામાં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.

આ બતાવ અંગે મૃતકના પિતા રામજીભાઈ મુળાભાઈ વઘેરા એ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક બારમા ધોરણના અભ્યાસ કરતી હતી, અને પિતા બીમાર રહેતા હોવાથી વારંવાર રાજકોટ સારવારમાં જવું પડતું હોવાના કારણે પોતે વ્યથિત રહેતી હતી, અને અભ્યાસમાં ધ્યાન આપતી ન હતી. તેથી પિતાએ અભ્યાસ કરવા બાબતે ઠપકો આપ્યો હતો. જે સહન નહીં થતા આત્મહત્યાનું પગલું ભરી લીધું હતું. 

Gujarat