ભારતના આક્રમક વલણ સામે જવાબી કાર્યવાહી કરીશું: પાકિસ્તાન સેના
Updated: Feb 22nd, 2019
નવી દિલ્હી, તા. 22 ફેબ્રુઆરી 2019, શુક્રવાર
પાકિસ્તાની સેનાએ પ્રેસ કોન્ફરન્સ કરી પુલવામા હુમલા બાદ ભારત પર આરોપ લગાવતા કહ્યું કે, ભારતે પુલવામા હુમલાને લઇને પાકિસ્તાન પર કોઇ પુરાવા વિના જ આરોપ લગાવ્યા છે. મેજર જનરલ આસિફ ગફુરે કહ્યું કે અમને જવાબ આપવામાં તે માટે મોડું થયું કારણ કે, પહેલા તેની તપાસ કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે, પુલવામા હુમલામાં પાકિસ્તાનનો હાથ નથી. આ હુમલાથી પાકિસ્તાનને કોઇ ફાયદો નહી થશે. હુમલાખોરો કાશ્મીરના રહેનારા હતા અને ચૂંટણી પહેલા આવી ઘટનાઓ થતી રહે છે. અમે જંગની પહેલ કરવાની તૈયારી નથી કરતા પરંતુ પોતાની રક્ષા કરવી અમારો હક છે. અમે વિતેલા સમયના ફૌજી નથી. જો ભારતે કોઇ આક્રમક વલણ અપનાવ્યુ તો અમે પણ જવાબી કાર્યવાહી કરીશું.
Gujarat