સારી ઉંઘ પેટર્નથી હાર્ટ એટેકનો ખતરો ૪૨ ટકા ઓછો રહે છે
યુકે બાયોબેંકના ૪૦૮૮૦૨ લોકોને સ્ટડી માટે પસંદ કરવામાં આવ્યા હતા
સારી ઉંઘ પેટર્નથી હ્નદયરોગની શકયતા ઓછી રહેતી હોવાનું માલૂમ પડયું
Updated: Nov 30th, 2020
લંડન,30, નવેમ્બર,2020,સોમવાર
એક નવા સંશોધન મુજબ જે લોકો પૂરતી અને સારી ઉંઘ લે છે તેમને હાર્ટ એટેકની શકયતા ૪૨ ટકા ઓછી રહે છે. સ્વસ્થ ઉંઘ પેટર્નનો મતલબ સવારે ૭ થી ૮ કલાક સુધી એવું એટલું જ નથી પરંતુ દિવસે સુસ્તી કે ઉંઘ આવવી જોઇએ નહી. વિશ્વમાં હાર્ટ ફેલ થવાથી ૨.૬ કરોડથી વધુ લોકોના મોત થાય છે. ખાસ કરીને ઉંઘની સમસ્યા હાર્ટ ફેલ વધારવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. ૨૦૦૬થી ૨૦૧૦ સુધી હોસ્પીટલમાં ફરજ બજાવતા યુકે બાયોબેંકના ૪૦૮૮૦૨ લોકોને સ્ટડી માટે પસંદ કરવામાં આવ્યા હતા જેમાં ૩૭ થી માંડીને ૭૩ વર્ષની ઉંમરના લોકોનો સમાવેશ થતો હતો.૧ એપ્રિલ ૨૦૧૯થી સુધી હાર્ટ ફેલ થવા અંગેના ડેટાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
શોધકર્તાઓએ ૧૦ વર્ષ સુધીમાં હાર્ટફેલના સરેરાશ ૫૨૨૧ કેસ નોંધ્યા હતા. સંશોધકોએ ઉંઘની ગુણવત્તાના આધારે સમગ્ર એક એક કેસનું પૃથ્થકરણ કર્યું હતું. ઉંઘની ગુણવત્તાના ઉપાયોમાં ઉંઘનો ગાળો,અનિદ્રા,ખરાંટા અને ઉંઘ સાથે જોડાયેલી અન્ય વિશેષતાઓનો સમાવેશ થતો હતો. મહામારી વિજ્ઞાાનના પ્રોફેસર ન્યૂ ઓરલિયન્સે સ્વસ્થ ઉંઘ માટે જે સ્કોર નકકી કર્યો તેમાં પાંચ વ્યહવારોને મહત્વ આપ્યું હતું. જેમાં હાર્ટફેઇલની શકયતા ઘટાડવા માટે ઉંઘની પેટર્ન સુધારવા પર ભાર મુકવામાં આવ્યો હતો. ઉંઘના ગાળાને ત્રણ પ્રકારમાં વહેચવામાં આવ્યો હતો જેમાં નાનો ગાળો ૭ કલાકથી ઓછો જયારે લાંબા ગાળામાં ૯ કલાક કે તેનાથી વધારેનો સમાવેશ થતો હતો.
ડાયાબિટીસ, લોહીનું ઉંચું દબાણ, દવાઓનો ઉપયોગ, આનુવાંશિક વિવિધતાઓ વગેરે બાબતોને પણ ધ્યાનમાં રાખવામાં આવી હતી જેમાં સારી ઉંઘ પેટર્ન ધરાવનારા ૪૨ ટકાને શકયતા ઓછી માલૂમ પડી હતી. જેમાં કેટલીક બાબતો તારવવામાં આવી એ છે કે સવારે જાગનારાઓમાં હાર્ટ ફેઇલનો ખતરો ૮ ટકા ઓછો રહે છે. જે ૭ થી ૮ કલાક ઉંઘતા હતા તેમણે હાર્ટફેઇલનો ખતરો ૧૨ ટકા જેટલો ઓછો હતો. જેમને અનિદ્રાની સમસ્યા ન હતી તેમને ૧૭ ટકા અને દિવસે ઉંઘ ન આવનારા લોકોમાં ૩૪ ટકા ખતરો ઓછો હતો.ટચ સ્ક્રિન પ્રશ્નાવલી માધ્યમથી એકત્ર કરવામાં આવેલા નમૂનાનું સંશોધન અમેરિકન હાર્ટ એસોસિએશનના જર્નલ સર્કયુલેશનમાં પ્રકાશિત થયું છે.