ખરીદી કરવા નીકળેલા વૃધ્ધ દંપતીને અકસ્માત નડયો : પતિનું મોત
Updated: Nov 16th, 2021
- દંપતી ચાર દિવસ અગાઉ ચલથાણથી પાંડેસરામાં બાઇક
ઉપર ખરીદી માટે જઇ રહ્યા હતા
સુરત :
ચલથાણથી બાઇક પર પાંડેસરા ખાતે ખરીદી કરવા નીકળેલા વૃધ્ધ દંપતિને ચાર દિવસ પહેલા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઇજા થતા પતિનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. જયારે પત્નીને ઇજા થઇ હતી.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ચલથાણ ખાતે રેલવે સ્ટેશન રોડ પર કિષ્ણા પાર્ક સોસાયટીમાં રહેતા 62 વર્ષીય કિરણભાઇ ચુનીલાલ ભાવસાર અને તેમની પત્ની સરલાબેન બંને સાથે ગત તા.13મી બપોરે બાઇક પર પાંડસરા ખાતે ડી માર્ટમાં ખરીદી કરવા નીકળ્યા હતા. તે સમયે ડીંડોલી રોડ ઇકલેરા ચાર રસ્તા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં દંપતિને ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં સારવાર દરમિયાન આજે સવારે કિરણભાઇનું મોત નીંપજયુ હતુ. કિરણભાઇ નિવૃત જીવન ગાળતા હતા. તેમનો પુત્ર બેન્કમાં મેનેજર હોવાનું જાણવા મળે છે. આ અંગે ડીંડોલી પોલીસે તપાસ હાથ ઘરી છે.