For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગતા 8 કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત

- શ્રેય હોસ્પિટલના ICU વોર્ડમાં લાગી આગ

Updated: Aug 6th, 2020


અમદાવાદ, તા. 6 ઓગસ્ટ 2020 ગુરૂવાર

પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 ડેઝિગ્નેટેડ શ્રેય હોસ્પિટલમાં ગત મોડી રાતે 3 વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી હતી. અચાનક ફાટી નીકળેલી આગને પગલે દોડધામ મચી જવા પામી હતી. 

જો કે, આ હોનારતમાં કોરોનાના દર્દી એવા 5 પુરૂષ અને 3 મહિલા સહિત કુલ 8 દર્દીના મોત થયાનું પ્રાથમિક અહેવાલમાં જાણવા મળ્યું છે. આ સાથે જ એવું પણ મનાય છે કે, આ આગ શોર્ટસર્કિટને કારણે લાગી હતી. જોકે ફાયર વિભાગ આ અંગે તપાસ કરી રહ્યું છે. આ હોસ્પિટલને ફાયરનું એનઓસી મળ્યું હતું કે કેમ તે પણ તપાસનો વિષય છે.

મળતી માહિતી મુજબ રાત્રે 3 વાગે આગ લાગી હતી. આગના કારણની તપાસ ચાલુ છે. આ હોસ્પિટલમાં કુલ 49 લોકો દાખલ હતાં. આઈસીયુમાં દાખલ 8 લોકોના મોત થયા છે. મૃતકોમાં 5 પુરૂષો અને 3 મહિલા સામેલ છે.  જ્યારે 41ને એસવીપી હોસ્પિટલમાં ખસેડાયા છે.

મૃતકોના નામ આ પ્રમાણે છે

1. આયેશાબેન તિમીજી

2. મનુભાઈ રામી

3. જ્યોતિબેન સિંધી

4. અરવિંદભાઈ ભાવસાર

5. નરેન્દ્રભાઈ શાહ

6. લીલાવતીબેન શાહ

7. નવીનલાલ શાહ

8. આરિફભાઈ મન્સુરી

Gujarat