For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'આદિપુરુષ': કેવી રીતે બદલાશે 'રાવણ' નો લુક, મેકર્સે કર્યો ખુલાસો

Updated: Dec 6th, 2022

Article Content Image

મુંબઈ, તા. 06 ડિસેમ્બર 2022 મંગળવાર

પ્રભાસ, સૈફ અલી ખાન અને કૃતિ સેનન સ્ટારર 'આદિપુરુષ' ઓક્ટોબરમાં ટીઝર રિલીઝ સાથે જ વિવાદોમાં ઘેરાયી. 500 કરોડના બજેટની ફિલ્મની ઝલક જોતા જ તેની ખૂબ ટીકા થઈ. 

Article Content Image

ફિલ્મની રિલીઝની તારીખ 6 મહિના આગળ વધારીને 2023માં કરી દેવાઈ છે. હવે ફિલ્મમાં રામ-હનુમાન અને રાવણના લુકને સુધારવાનો નિર્ણય કરાયો છે જેના કારણે મેકર્સને વધુ ખર્ચ ભોગવવો પડી રહ્યો છે.

Article Content Image

આદિપુરુષના અમુક દ્રશ્યોને રી-શૂટ કરવાનું આયોજન છે કારણ કે દર્શકોને ભગવાન રામનો મૂંછોવાળો લુક પસંદ આવ્યો નહોતો અને સૌથી વધારે રાવણના લુકની ટીકા થઈ. આ તમામ મુદ્દે સોશિયલ મીડિયાથી લઈને ન્યુઝ ચેનલ પર કલાકો સુધી ચર્ચાઓ થઈ અને આખરે મેકર્સને પોતાની ભૂલનો અનુભવ થયો.

Article Content Image

હવે જાણકારી મળી રહી છે કે મેકર્સ આ તમામ લુક્સને સુધારી રહ્યા છે. જોકે કલાકો ચાલેલી બેઠકો બાદ એ નક્કી કરાયુ છે કે ફિલ્મના વિવાદિત દ્રશ્યોનું શૂટિંગ કરવામાં આવશે નહીં પરંતુ તમામ બાબતોને વીએફએક્સ દ્વારા જ સુધારી દેવાશે. 

Article Content Image

Gujarat