યુઝરે અજય દેવગનને બદલે સુનીલ શેટ્ટીને ગણાવ્યો 'ગુટખા કિંગ', એક્ટરે આપી ચશ્મા બદલવાની સલાહ
Updated: May 10th, 2022
મુંબઈ, તા. 10 મે 2022, મંગળવાર
સુનીલ શેટ્ટીને આજે એક વ્યક્તિએ તમાકુની બ્રાન્ડની જાહેરાત માટે નિશાન બનાવ્યો હતો. આ વ્યક્તિએ તમાકુ બ્રાન્ડને પ્રમોટ કરવા બદલ અજય દેવગન, શાહરૂખ ખાન અને અક્ષય કુમારની ટીકા કરતી વખતે અજયને બદલે ભૂલથી સુનીલને ટેગ કરી દીધો હતો. જ્યારે સુનીલે ટ્વિટર યુઝરને તેની ભૂલ વિશે જણાવ્યું તો યુઝરે તેની માફી માંગી એટલું જ નહીં તેણે તેનો ફેન હોવાનો દાવો પણ કર્યો હતો.
યુઝરે અજય દેવગણ, અક્ષય કુમાર અને શાહરૂખ ખાન સ્ટાર્સની તમાકુ બ્રાન્ડના હોર્ડિંગની તસવીર શેર કરતી વખતે કમેંટમાં સુનીલ શેટ્ટીને ટેગ કર્યો હતો. આ તસવીર શેર કરતાં તેણે લખ્યું કે હતુ કે, આ જાહેરાતો જોઈને હાઈવે પર હવે મને ગુટખા ખાવાનું મન થાય છે. તેના પર કોમેન્ટ કરતાં યુઝરે આગળ લખ્યું હતું કે, 'અરે ગુટખા કિંગ ઓફ ઈન્ડિયા શાહરૂખ, અક્ષય અને સુનીલ તમારા દેશના બાળકોને ખોટી દીશામાં દોરી જવા માટે શરમ આવવી જોઈએ. ભારતને કેન્સરના દેશ તરફ ન લઈ જાઓ.'
સુનીલ શેટ્ટીનું જ્યારે આ ટ્વીટ પર ધ્યાન ગયું તો તેણે હાથ જોડી ઈમોજી સાથે લખ્યું હતું કે, 'ભાઈ તમે તમારા ચશ્મા એડજેસ્ટ કરો અથવા બદલો' સુનીલના જવાબ પર ટ્વિટર યુઝરે તેને ટેગ કરવા બદલ માફી માંગી અને દાવો કર્યો કે તે તેનો ફેન છે. તેણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, નમસ્તે સુનીલ શેટ્ટી. માફ કરશો, આ ભૂલથી ટેગ થઈ ગયું છે અને મારો મતલબ તમને દુઃખ આપવાનો નહોતો ભાઈ, ઘણો બધો પ્રેમ. અજય દેવગનની જગ્યા પર ટેગ થયું છે. સુનીલ શેટ્ટીએ યુઝરને હાથ જોડી ઈમોજી સાથે માફી સ્વીકારી હતી.