અક્ષય ખન્ના આગામી ફિલ્મમાં કમાન્ડોની ભૂમિકામાં જોવા મળે તેવી શક્યતા
- આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ કરવામાં આવશે
Updated: Feb 12th, 2021
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.11 ફેબ્રુઆરી 2021, ગુરુવાર
અક્ષય ખન્ના હવે ફિલ્મોમાં બહુ ઓછો જોવા મળે છે. તેને લઇન ેએક સમાચાર છે કે, તે આગામી ફિલ્મમાં એનએસજી કમાન્ડોની ભૂમિકામાં કામ કરશે. જે ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ કરવામાં આવશે.
મળેલી માહિતી મુજબ, સ્ટેટ ઓફ સીજ : અક્ષરધામ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પરથી રિલીઝ કરવામાં આવે તેવી શક્યતા છે. આ ફિલ્મ અક્ષરધામ મંદિર પર થયેલા આતંકવાદી હુમલામાં એનએસજી કમાન્ડો દ્વારા ચલાવામાં આવેલા ઓપરેશન પર આધારિત હશે. જેમાં અક્ષય ખન્ના એનએસજી કમાન્ડોનું પાત્ર ભજવશે.
અક્ષયધામના સંપૂર્ણ ઓપરેશનને સફળ બનાવામાં મહત્વપૂર્ણ ભૂમિકા એનસજી કમાન્ડોએ ભજવી હતી. આ ફિલ્મના એકશન દ્રશ્યો માટે અત્યાધુનિક ટેકનીકોનો ઉપયોગ કરવામાં ાવશે. આ ફિલ્મ અક્ષરધામના આતંકી હુમલામા શહીદ થયેલા લોકોને સમર્પિત કરવામાં આવશે.
Gujarat