Get The App

રત્નમાળામાંથી વિખરાયેલા મોતી

Updated: Jan 8th, 2025


Google NewsGoogle News
રત્નમાળામાંથી વિખરાયેલા મોતી 1 - image


- સાહેબ, મનમાં મનનું રાખતા નહીં, તક મળે ત્યાં સત્ય મધૂર બોલી દેજો, ગૂંચ પડવાની રાહ જોતા નહીં અને ગાંઠ પડે ત્યાં નવા વર્ષમાં સમાધાન કરી લે.

- જેમ બંને પાંખોથી પક્ષીનું આકાશમાં ઊડવું સ્વતંત્ર સંભવ બને છે, તે જ પ્રમાણે જ્ઞાન અને નિષ્કામ કર્મ બંનેથી પરમ પદની પ્રાપ્તિ થાય છે. 

- યથા સમયે કરેલું અલ્પ કાર્ય બહુ જ ઉપકારી બને છે અને સમય વીતી ગયા પછી બહુ ઉપકારી કાર્ય પણ વ્યર્થ બની જાય છે.

- પુરુષાર્થ વિના આત્મકલ્યાણ થતું નથી. જે લોકો પુરુષાર્થનો ત્યાગ કરીને માત્ર દૈવભાગ્યને ભરોસે બેસી રહે છે તે આળસુ મનુષ્યો સ્વયં પોતાના

શત્રુ છે.

- સંતોષ, સત્સંગતિ, સત્વિચાર અને શમ આ ચારેય મનુષ્યોને માટે ભવસાગરથી તરવાના સાધન છે.

- સંસારના સંબંધો સાચવવા હશે તો આંધળુ, મૂંગૂં અને બહેરૂં બનવું

પડે છે.

- પુરુષાર્થ વિના આત્મકલ્યાણ થતું નથી. જે લોકો પુરુષાર્થનો ત્યાગ કરીને માત્ર દૈવભાગ્યને ભરોસે બેસી રહે છે તે આળસુ મનુષ્યો સ્વયં પોતાના

શત્રુ છે.

- વસંત આઈ. સોની 


Google NewsGoogle News