For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પવિત્ર સ્વસ્તિક .

Updated: Nov 23rd, 2022


Article Content Image

ભા રતીય સસ્કૃતિમાં સ્વસ્તિકને પવિત્ર માનવામાં આવે છે અને ઘરમાં શુભ નિશાની તરીકે સ્વસ્તિક સાથીયો- કરવામાં આવે છે.

બ્રહ્માંડમાંથી બે પ્રકારની એનર્જી આવે છે.  (૧) પોજીટિવ એનર્જી (ર) નેગેટિવ એનર્જી- જ્યાં સુધી નેગેટિવ એનર્જી હોય ત્યાં સુધી પોજીટીવ એનર્જી આવતી નથી. મહાકાલીની નિશાની સાથીયો-સ્વસ્તિક છે. મહાકાલી હંમેશા એના બાળકનું રક્ષણ-આસુરી ઉર્જાથી કરે છે. આકાશ ગંગામાં સ્વસ્તિક-નવા વર્ષને દિવસે બને છે. કારતિકી નક્ષત્ર-ઉદય થાય-અશ્વિની નક્ષત્ર વિદાય થાય પૂષાનક્ષત્ર-ચિત્રાંગ નક્ષત્ર-ઉત્તર-દક્ષિણ દીશામાં હોય.

આકાશ ગંગામાં સ્વસ્તિક બને છે. માનવ આત્મા બ્રહ્માંડમાંથી નક્ષત્રમાંથી હજારો સાલથી આવ્યો. બ્રહ્માંડમાં વાયુ સ્વરૂપે પોઝીટિવ-નેગેટિવ એનર્જી આપી ઈશ્વર સંચાલન કરે છે.

સ્વસ્તિક-મહાકાલી આસુરી વૃત્તિ દુર કરે છે આથી સાથિયાની-આપણે માં મહાકાલીના પ્રતિક તરીકે પૂજા કરી છીએ.

- પ્રદ્યુમ્ન શુક્લ

Gujarat