Get The App

વાસ્તુ ટિપ્સ: ક્યારેય ન કરવી જોઈએ આ 3 ભૂલો, નજરઅંદાજ કરી તો ભાગ્ય નહીં આપે સાથ

Updated: Jun 14th, 2025

GS TEAM


Google News
Google News
વાસ્તુ ટિપ્સ: ક્યારેય ન કરવી જોઈએ આ 3 ભૂલો, નજરઅંદાજ કરી તો ભાગ્ય નહીં આપે સાથ 1 - image


Vastu Shastra : હિન્દુ સનાતન ધર્મમાં વાસ્તુ શાસ્ત્રને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે, સુખી જીવન માટે વાસ્તુના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરુરી છે. પરંતુ, કેટલીકવાર જાણે અજાણ્યે કરવામાં આવેલી કેટલીક ભૂલો વ્યક્તિના જીવનમાં દુર્ભાગ્ય અને મુશ્કેલીઓ લઈને આવે છે, જેના કારણે વ્યક્તિ હેરાન પરેશાન થઈ જાય છે. 

આ પણ વાંચો : બે દિવસ પછી ચંદ્રમા-રાહુની યુતિ, આ રાશિના જાતકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે!

જો કે,  જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક એવા નિયમો બતાવવામાં આવ્યા છે, જેનું પાલન ન કરવાથી સુખ-સમૃદ્ધિ ઓછી થવા લાગે છે. આવો એ વસ્તુ વિશે જાણીએ કે, જે તમારા સુખી જીવનમાં મુશ્કેલી પેદા કરે છે. હિન્દુ ધર્મમાં દાન કરવું પુણ્યનું કામ કહેવાય છે. પરંતુ જો તમે દાન માત્ર પરિચિત લોકોને જ દાન કરો છો, તો તેનું આધ્યાત્મિક ફળ ઓછુ થઈ જાય છે. 

દાન હંમેશા જરુરીયાતમંદને આપો

શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે દાન હંમેશા જરુરીયાતમંદને જ કરવું જોઈએ. જો તમે કોઈ પરિચિત વ્યક્તિને દાન આપો છો, તો તે દાનને બદલે લેવડ દેવડ બની જાય છે, જેના કારણે પુણ્યનો નાશ થઈ શકે છે.

દિવાલો પર વધુ પડતાં ખીલ્લા મારવા

એવુ કહેવાય છે કે, ઘરની દિવાલો પર વધારે પડતાં ખીલ્લા ઠોકવાથી નકારાત્મક ઉર્જા પેદા થાય છે. આવું કરવાથી આર્થિક નુકસાન અને શાંતિનો નાશ થાય છે.

આ પણ વાંચો : અમદાવાદમાં સર્જાયેલી બંને વિમાન દુર્ઘટનામાં ગ્રહોમાં જોવા મળી આશ્વર્યજનક સમાનતા, અગ્નિ તત્ત્વ રાશિમાં ગ્રહોનું ગોચર 

મંદિરમાંથી બહાર નીકળતા ઘંટ વગાડવો

શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે મંદિરમાં જતી વખતે ઘંટ વગાડવો શુભ માનવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે, તેનાથી પોઝિટિવ ઉર્જાનો સંચાર થાય છે. પરંતુ મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ વગાડવો અશુભ માનવામાં આવે છે. આ એક સંકેત છે કે, તમે પૂજા કર્યા પછી ભગવાનને વિદાય કરી રહ્યા છો, જે અશુભ માનવામાં આવે છે. 

Tags :