Sawan 2023: શ્રાવણ મહિનામાં આ 5 રાશિના જાતકો પર વરસશે ભગવાન શિવની વિશેષ કૃપા
Image Source: Freepik
અમદાવાદ, તા. 06 જુલાઈ 2023 ગુરૂવાર
ભગવાન શિવના પ્રિય શ્રાવણ મહિનામાં તમે જો ભોલેનાથની આરાધના કરો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે. શ્રાવણ મહિનામાં અમુક રાશિના જાતકો પર શિવજીની કૃપા દ્રષ્ટિ રહેશે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે શ્રાવણનો મહિનો ખુશીઓ લઈને આવશે. ઘર-પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. તમે પોતાના લોકોની મદદ માટે આગળ આવશો. આ શ્રાવણ મહિનામાં તમારા તમામ કષ્ટ દૂર થશે. તમે પોતાના લોકોના નજીક આવશો અને તમારા બગડેલા તમામ કાર્યો થશે. આ શ્રાવણ મહિનામાં તમે યાત્રા કરી શકો છો. જો તમે બિઝનેસ કરતા હોવ તો તમને ચોક્કસ ધન-લાભ થવાની શક્યતા છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે શિવજીનો આ પ્રિય મહિનો ખુશીઓ લઈને આવશે. આ સમયે તમે નવા લોકોને મળશો, જેનાથી તમારા નવા સંપર્ક બનશે. સિંહ રાશિના જાતકો જુલાઈમાં નવા કાર્યની શરૂઆત કરી શકે છે. જે કાર્ય ઘણા સમયથી અટકેલુ હતુ કે પછી અધૂરુ હતુ તેને પુરો કરવાનો સમય આવી ગયો છે. લવ લાઈફમાં નવા મહેમાનની એન્ટ્રી થઈ શકે છે, જે તમારા જીવનને એક નવી રાહ પર લઈને જઈ શકે છે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે શ્રાવણ મહિનો ફળદાયી રહેશે. તમારી પર શિવજીની કૃપા બની રહેશે. તમારા તમામ કામ થશે. ભોલેનાથની આરાધના જરૂર કરો અને ઘણા સમયથી જો તમે નોકરી બદલવાનું વિચાર્યું રહ્યા હોય તો તમારુ આ સપનુ સાચુ થશે, ટૂંક સમયમાં જ નવી નોકરીની ઓફર તમને મળી શકે છે. માતા-પિતાના સહયોગથી તમે નવા ઘરની ડીલ કરી શકો છો. ભાઈ-બહેનોને મળવાનો પ્લાન કરી શકો છો.
ધન રાશિ
ધન રાશિના જાતકો માટે શ્રાવણ મહિનો નવી આશાઓ સાથે આવી શકે છે. આ મહિને તમને મહેનત વધુ કરવી પડી શકે છે પરંતુ તે મેહનતનું ફળ તમને મોડુ પણ સારુ મળશે. તમારી નવા માર્ગો સરળ થશે. શ્રાવણ મહિનામાં તમે પોતાના પાર્ટનર સાથે ફરવા જઈ શકો છો. આ મહિનામાં તમારા તમામ કષ્ટ દૂર થશે. તમે તમારા પોતાના લોકોની નજીક આવશો અને તમારા બગડેલા કામ થઈ જશે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે શ્રાવણનો મહિનો શ્રેષ્ઠ સાબિત થવાનો છે. તમારી ઉપર આ શ્રાવણના મહિનામાં શિવજીની કૃપા વરસશે. તમારી મહેનત રંગ લાવશે. લગ્ન કરવાનું વિચારી રહ્યા હોવ તો ટૂંક સમયમાં જ તમારા જીવનસાથી સાથે તમારી મુલાકાત થઈ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને કોઈ પણ વસ્તુને અવગણશો નહીં, નહીંતક ભારે પડી શકે છે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં ખાસ ધ્યાન આપે, મનમાં કોઈપણ પ્રકારનો ધ્યાનભંગ થાય તેવો વિચાર ન લાવો.