|
ભારત મે-જૂનમાં ઝિમ્બાબ્વેમાં ત્રિકોણીય જંગમાં ભાગ લેશે |
|
|
|
રમત જગત સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
મંગળવાર, 16 માર્ચ 2010 |
|
હરારે,
ન્યુઝીલેન્ડે પ્રવાસ રદ કર્યા બાદ ઝિમ્બાબ્વેએ મે-જુનમાં ઘરઆંગણે ત્રિકોણીય વન ડે જંગનું આયોજન કરવાની તૈયારી શરૂ કરી છે. ઝિમ્બાબ્વે બોર્ડના પ્રસ્તાવિત કાર્યક્રમ અનુસાર ત્રિકોણીય જંગમાં ભારત અને શ્રીલંકાની ટીમો રમશે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ૨૮મી મે ના રોજ બુલાવાયો ખાતે પ્રથમ વન ડે રમાશે. જ્યારે ૩૦મી મે એ ભારત અને શ્રીલંકા ટકરાશે.ત્રિકોણીય જંગની ફાઇનલ ૯ની જુને રમાશે અને ત્યાર બાદ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે બે ટ્વેન્ટી-૨૦ મેચનું આયોજન કરવામાં આવશે.
|