Last Updated:19 ડિસેમ્બર 2011

માણસને લાંબુ આયુષ્ય બક્ષતી ગોળી તૈયાર કરવાની મથામણ છાપો ઈ-મેલ
આંતરરાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GSNEWS   
રવિવાર, 07 ફેબ્રુઆરી 2010
ન્યૂયોર્ક, તા. ૭
આલઝીમર, ડાયાબિટિસ અને હૃદય રોગોને નાબૂદ કરી લોકોને ૧૦૦ વર્ષ જેટલા લાંબા આયુષ્યનું વરદાન આપે તેવી સુપરડ્રગ વૈજ્ઞાાનિકો વિકસાવી રહ્યા છે. લાંબા અને તંદુરસ્ત જીવન તેમજ વૃદ્ધત્વના રોગોને અટકાવતા ત્રણ જનીનોની ઓળખના આધારે અગ્રણી જનીનશાસ્ત્રી ડૉ. નિર બાર્ઝિલાઈ અને તેમના સાથીઓએ સંશોધનો હાથ ધર્યા છે.
દીર્ધાયુ માટે જવાબદાર ત્રણ જીન ઓળખાયા ઃ આ જીનની નકલ કરીને દવા બનાવવાનું વિજ્ઞાાનીઓનું અભિયાન

''લોન્ગેવિરી જિન્સ'' દ્વારા નિર્મિત પ્રોટીનોનો તબીબી દ્રષ્ટિએ કાર્યક્ષમ ઉપયોગ કરી લાખો લોકોને દીર્ઘજીવન આપી શકાશે. જે લોકોના DNA માં આ ત્રણ જનીનો હોય તેઓમાં આલ્ઝીમર રોગ થવાની શક્યતા ૮૦ ટકા ઘટી જાય છે. વારસામાં મળેલ દીર્ધજીવન જનીનો ધૂમ્રપાન, ખરાબ આહાર, મેદસ્વિતા અને કસરતના અભાવના દુષ્પ્રભાવ સામે પણ રક્ષણ આપે છે.

આ જનીનોના ફાયદા હાથવગે કરવા કેટલીક લેબોરેટરીઓએ પિલ્સ બનાવવા તરફ પ્રયોગો હાથ ધર્યા છે. અને ડૉ. બાર્ઝિલાઈના માનવા મુજબ ત્રણ વર્ષની અંદર જ તેનું પરીક્ષણ કરી શકાશે. ન્યૂયોર્કમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈન કોલેજ ઓફ મેડિસીનમાં ઈન્સ્ટિટયૂટ ફોર એજિંગ રીસર્ચના ડૉ. બાર્ઝિલાઈએ કહ્યું હતું કે દીર્ધ જીવન સંબંધિત જનીનને શોધવાનો ફાયદો એ છે કે જનીન જે રીતે કામ કરે છે તેને અનુસરતુ ઔષધ આપણે તૈયાર કરી શકીએ. જો આપણે તેની નકલ કરી શકીશું તો લાંબુ જીવન વાસ્તવિકતા બનશે.

ત્રણ લોન્ગેવિટી જનીનોમાંથી બે જનીન સારા કોલેસ્ટરોલના ઉત્પાદનને ઉત્તેજન આપે છે, જે હૃદયરોગો અને સ્ટ્રોકના જોખમને ઘટાડે છે. ત્રીજું જનીન ડાયાબિટિસ અટકાવે છે. ૧૦૦ વર્ષનું આયુષ્ય અત્યારે ૧૦,૦૦૦માંથી એકને મળે છે. પરંતુ સુપર પિલથી તેમાં ૨૦ ટકાનો વધારો થશે. આપણા પૂર્વજોમાં દીર્ધ જીવનના જનીનો હતા તેથી પર્યાવરણના પ્રદુષણની ખરાબ અસરો સામે તેમનું રક્ષણ થતું હતું.

જોકે, આલ્ઝીમર્સ સોસાયટીના એન્ડ્રયુ કેટરિંગહામના કહેવા મુજબ આલ્ઝીમરનો રોગ જે સર્વ સામાન્ય યાદશક્તિનો ઘટાડો છે, જનીનિક વલણ, જીવનશૈલી અને જીવનની ઘટનાઓનું સંયુક્ત પરિણામ છે અને તેમાં અનેક જનીનો સંકળાયેલા છે.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

મનોરંજન સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી