|
ઉમેદવારોના ખર્ચની ચકાસણી ઇન્કમટેક્સ અધિકારીઓ કરશે |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શનિવાર, 21 નવેમ્બર 2009 |
|
(પી.ટી.આઈ.) નવી દિલ્હી,
ચૂંટણી પંચે જણાવ્યું છે કે ચૂંટણી વખતે ઉમેદવારો દ્વારા દાખલ કરાતા
સોગંદનામા અને ખર્ચ અંગેની વિગતો તપાસવા માટે તે આગામી બે થી ત્રણ
મહિનામાં એક નવું એકમ ઉભુ કરશે. ચૂંટણી દરમિયાન દેખરેખની પ્રક્રિયાને વધુ
સુદ્રઢ બનાવવા માટે આ એકમની રચના કરવામાં આવશે.
ખર્ચ ઉપરાંત ઉમેદવારો દ્વારા ફાઈલ કરાતાં સોગંદનામાની ચકાસણી માટે અલગ વ્યવસ્થા ઊભી કરવાનો ચૂંટણી પંચનો નિર્ણય
મુખ્ય ચૂંટણી કમિશનર એસ વાય કુરેશીએ જણાવ્યું હતું કે આ નવા એકમમાં આવક વેરા વિભાગના અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવશે. આ અધિકારીઓ ઉમેદવારો દ્વારા દાખલકરાતા દસ્તાવેજોની ચકાસણી કરશે. તેમણે જણાવ્યું હતું કે ઉમેદવારો તેમની મિલકતો, દેવા કે ખર્ચ અંગેની વિગતો પૂરી પાડે છે પણ તે ખરેખર સાચી છે કે ખોટી તે તપાસવા માટે ચૂંટણી પંચ સક્ષમ નથી. તેથી આ મર્યાદા દૂર કરવા માટે ચૂંટણી પંચે નવો વિભાગ ઉભો કરવાનો નિર્ણય કર્યો છે.
પંચની હાલની પ્રણાલીના મુદ્દે કુરેશીએ જણાવ્યું હતું કે ચૂંટણી કમિશનરોને કેટલીક સ્વાયત્તતા આપવામાં આવી છે અનેતેમાં માત્ર બંધારણીય સુધારા મારફતે જ ફેરફાર થઇ શકે તેમ છે. સરકારે સુધારણા કરવાનો સમય હવે આવી ગયો છે. મુખ્ય ચૂંટણી કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણી પંચ કાયદો ૧૯૯૧ સ્પષ્ટ કરે છે કે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરો દરેક રીતે સમાન છે છતાં આ અંગે જરૃરી સુધારા હજુ સુધી કરવામાં આવ્યા નથી. આ ઉપરાંત નકલી પક્ષોની નોંધણી અંગે કેટલીક તપાસ કરવાનો ચૂંટણી પંચને અધિકાર હોવાનું જણાવી તેમણે કહ્યું હતું કે પંચ માત્ર તપાસ કરી શકે છે પણ આવા કોઇ પક્ષની નોંધણી રદ્ કરવાની તેને કોઇ સત્તા નથી. આ ઘણી વિચિત્ર બાબત છે. ઉલ્લેખનીય છે કે હાલ દેશમાં ૧૦૦૦ જેટલા રાજકીય પક્ષો છે અને દર વર્ષે તેમાં ૮૦ થી ૧૦૦ જેટલો ઉમેરો થાય છે.
|