|
તમામ પ્રધાનો પાસે વડા પ્રધાને કામ કર્યાનો રિપોર્ટ માગ્યો |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શનિવાર, 21 નવેમ્બર 2009 |
(પી.ટી.આઇ.)
નવી દિલ્હી તા.૨૧
વડા પ્રધાન મનમોહન સિંઘે શુક્રવારે અચાનક પોતાના બધા પ્રધાનોને તેમની કામગીરીના રિપોર્ટ કાર્ડ (પર્ફોર્મન્સ રિપોર્ટ) રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. આ રિપોર્ટ કાર્ડ ૩૦ નવેંબર સુધીમાં રજૂ કરી દેવાની છે.
કેબિનેટ સેક્રેટરી કે એમ ચંદ્રશેખરે લખેલા પત્ર દ્વારા વડા
પ્રધાનના આ નિર્ણયની બધા પ્રધાનોને જાણ કરવામાં આવી હતી. પત્રમાં
વિનયપૂર્ણ ભાષામાં જણાવ્યું હતું કે વડા પ્રધાન તમારા કામની નોંધ લઇ શકે એ
માટે ૩૦ નવેંબર સુધીમાં તમે અત્યાર લગી કરેલા કામનો પર્ફોર્મન્સ રિપોર્ટ
વડા પ્રધાનના કાર્યાલયમાં પહોંચાડી દેવો.
મોટા ભાગના પ્રધાનોએ વડા પ્રધાનના આ પગલાંને આવકાર્યું હતું
|