|
ઝારખંડ વિસ્તારમાં માઓવાદીઓએ બંધ જાહેર કર્યો |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શુક્રવાર, 20 નવેમ્બર 2009 |
|
(પી.ટી.આઇ.)
રાંચી તા.૨૦ ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના વિરોધમાં માઓવાદીઓએ જાહેર કરેલા બંધના એક દિવસ પહેલાં લતેહારમાં એક રેશન ડિલરની માઓવાદીઓએ હત્યા કરી હતી.
લતેહારના પોલીસ સુપરિટેન્ડન્ટ અશ્વિની કુમારે પત્રકારોને
કહ્યું કે લતેહાર જિલ્લાના મરુહાઓ ગામમાં એક રેશન ડિલરને માઓવાદીઓ પોલીસનો
ખબરી માનતા હતા. ગઇ રાત્રે પંદરથી વીસ સશસ્ત્ર માઓવાદીઓએ તેની હત્યા કરી
હતી.
એક સમર્થન વગરના હેવાલ મુજબ માઓવાદીઓએ પશ્ચિમ સિંઘભૂમ જિલ્લામાં ૨૦ ગામવાસીઓનું અપહરણ કર્યું હતું.
|