|
ત્રિપુરાના બે આતંકવાદી શરણે આવ્યા |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શુક્રવાર, 20 નવેમ્બર 2009 |
(પી.ટી.આઇ.)
અગરતલા તા.૨૦ પ્રતિબંધિત નેશનલ લિબરેશન ફ્રન્ટ ઑફ ત્રિપુરાના બે રીઢા આતંકવાદી રાજ્યના ઢાલાઇ જિલ્લામાં પોલીસના શરણે આવ્યા હતા.
કંટામોની ત્રિપુરા અને કુટાલ ત્રિપુરા તરીકે ઓળખાવાયેલા આ
બંનેએ એસએલઆર તરીકે ઓળખાતી રાયફલો અને ૧૨૦ કારતૂસ પોલીસ સમક્ષ જમા
કરાવ્યાં હતાં એમ પોલીસે કહ્યું હતું. આ બંનેએ અંબાસાના સબ ડિવિઝનલ ઑફિસર
પ્રાણ કિસન દાસ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી.
|