Last Updated:19 ડિસેમ્બર 2011

પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં કપ્તાન પદેથી યૂનુસ ખાનની હકાલપટ્ટી છાપો ઈ-મેલ
રમત જગત સમાચાર
આના લેખક છે GS NEWS   
બુધવાર, 11 નવેમ્બર 2009
ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સિરીઝમાં પરાજય મળ્યાં બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં કપ્તાન પદેથી યૂનુસ ખાનની હકાલપટ્ટી કરવામાં આવી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ન્યૂઝીલેન્ડ સામેની આગામી ટેસ્ટ સિરિઝ માટે પાકિસ્તાન ટીમનાં કપ્તાન પદે મહોંમદ યુસુફને નિયુક્ત કર્યો છે.
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સિરીઝમાં કારમા પરાજય બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં કપ્તાન યૂનુસ ખાન પર દોષનો ટોપલો ઢોળાયો હતો. આ સિરીઝમાં પરાજીત થવા બદલ કપ્તાન યૂનુસ ખાન જવાબદાર હોવાનું માનીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેને કપ્તાન પદેથી હટાવવાનો નિર્ણય લીધો હતો. અંતે આગામી દિવસોમાં ન્યૂઝીલેન્ડ સામે રમાનારી ટેસ્ટ સિરીઝ માટેની પાકિસ્તાન ટીમમાં કપ્તાન પદે મહોંમદ યુસુફની વરણી કરવામાં આવી છે.

 
< પાછળનુ   આગળનુ >

Latest News

From The Archives

મનોરંજન સમાચાર

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

વેપાર જગત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી