|
લોકોનો ચુકાદો માથે ચડાવીને કામ કરો ઃ અરુણાચલના ગવર્નરની શીખ |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
Written by GS News
|
|
Thursday, 05 November 2009 |
(પી.ટી.આઇ.)
ઇટાનગર તા.૫ અરુણાચલ પ્રદેશના ગવર્નર જનરલ (નિવૃત્ત)જે જે સિંઘે આજે ચૂંટાયેલા ધારાસભ્યોને કહ્યું હતું કે લોકોનો ચુકાદો માથે ચડાવીને કામ કરો.
૬૦ સભ્યોની નવી વિધાનસભાના સર્વપ્રથમ સત્રને સંબોધતાં તેમણે કહ્યું કે આ
આદિવાસી રાજ્યની પ્રજાને પાંચમી વિધાનસભા પાસે ઘણી અપેક્ષા છે. એ અપેક્ષા
સાકાર કરવા આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું છે.'વડા પ્રધાને જાહેર કરેલા
રૃા.૨૪,૦૦૦ કરોડના પેકેજનો રાજ્યના સર્વાંગી વિકાસ માટે ઉપયોગ કરવા માટે
પણ આપણે સૌએ સંગઠિત થવાનું છે.'
|