|
અંબાણી ભાઇઓનેા કેસ છોડતાં વધુ એક જજ |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
ગુરુવાર, 05 નવેમ્બર 2009 |
|
(પી.ટી.આઇ.)
નવી દિલ્હી તા.૫ અંબાણી ભાઇઓ વચ્ચે ચાલી રહેલા ગૅસના ભાવ અંગેના કાનૂની જંગમાંથી ખસી જવાની જસ્ટિસ રવીન્દ્રનની જાહેરાતના ચોવીસ કલાકમાં વધુ એક જજ જસ્ટિસ માર્કંડેય કાત્જુએ પણ કેસ છોડી દેવાની જાહેરાત કરી હતી.
જસ્ટિસ કાત્જુએ કહ્યું હતું કે મારાં પત્ની પાસે રિલાયન્સના શૅર છે એટલે નૈતિક રીતે હું આ કેસની સુનાવણીમાં સામેલ થઇ શકું નહીં.
ગઇ કાલે જસ્ટિસ રવીન્દ્રને એમ કહીને કેસ છોડી દીધો હતો કે
મૂકેશ અંબાણીને કાનૂની સલાહ આપતી બેંગલોરની સોલિસિટર કંપનીમાં મારી પુત્રી
પહેલી સપ્ટેંબરથી જોડાઇ છે એવી જાણ મને ગઇ કાલે થઇ એટલે હું નૈતિક
જવાબદારી સ્વીકારીને આ કેસ છોડી દઉં છું.
આમ અંબાણી કેસમાંથી બે જજ છૂટા થયા એટલે ચીફ જસ્ટિસ
બાલાકૃષ્ણને હવે નવી બેંચ બનાવીને નવેસર કેસની સુનાવણી કરવી પડશે. જસ્ટિસ
રવીન્દ્રન છૂટા થયા ત્યારે ચીફ જસ્ટિસે તેમના સ્થાને બી સુદર્શન રેડ્ડીને
લીધા હતા. જસ્ટિસ કાત્જુના સ્થાને હવે પી સત્યશિવનને લેવામાં આવશે. આમ આ
કેસમાં વધુ એક નાટયાત્મક વળાંક આવ્યો હતો.
|