|
મુસ્લિમોને વંદે માતરમ્ નહિ ગાવા ફતવો |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
મંગળવાર, 03 નવેમ્બર 2009 |
જમિયત-ઉલેમા-એ- હિન્દે રાષ્ટ્ર ગાનની કેટલીક કડીઓને બિનઇસ્લામિક ગણાવી
(પીટીઆઇ) દેવબંદ (ઉત્તર પ્રદેશ),
મુસ્લિમોના અગ્રણી ધાર્મિક સંગઠન જમીયત ઉલેમા-એ-હિંદના રાષ્ટ્રીય
અધિવેશનમાં આજે રાષ્ટ્રગાન 'વંદે માતરમ'ની પંક્તિઓને ગેરઇસ્લામી જાહેર
કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ઠરાવમાં રાષ્ટ્રગાનની કેટલીક પંક્તિઓને
ઇસ્લામના સિદ્ધાંતોની વિરુદ્ધ ગણાવીને મુસ્લિમોને તેનું ગાન નહિ કરવાનો
આદેશ આપવામાં આવ્યો છે. દેશભરમાંથી આવેલા ૧૦,૦૦૦થી વધુ મોલવી-ઉલેમાઓએ
આ ઠરાવને સ્વીકાર્યો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન ચિદમ્બરમ પણ અધિવેશનમાં
હાજર રહ્યા હતા. ભાજપે જમીયત દ્વારા પસાર કરવામાં આવેલા ઠરાવને
'દેશવિરોધી'ગણાવી આકરી ટીકા કરી હતી.
ભારતભરમાંથી એકઠા થયેલા ૧૦,૦૦૦થી વધુ મૌલવીઓએ કેન્દ્રીય ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમની હાજરીમાં ઠરાવ પસાર કર્યો
જમીયત ઉલેમાએ-એ-હિંદે 'વંદે માતરમ'નો વિરોધ કરતો ઠરાવ પસાર કરીને આ અંગે દારુલ ઉલુમે જાહેર કરેલા ફતવાને ટેકો આપ્યો હતો. ઉત્તર પ્રદેશના દેવબંદમાં યોજાયેલા જમીયતના ૩૦મા અધિવેશનમાં ગૃહ પ્રધાન પી.ચિદમ્બરમ પણ હાજર રહ્યા હતા. દારુલ ઉલુમે ૨૦૦૬માં ફતવો જાહેર કરીને વંદે માતરમને ઇસ્લામ વિરોધી ગીત ગણાવ્યું હતું. જમીયત ઉલેમા-એ-હિંદ ભારતના મોલવીઓ-ઉલેમાઓનું સૌથી મોટું સંગઠન છે.
અગ્રણી મુસ્લિમ નેતા અને રાજ્યસભાના સાંસદ મહેમૂદ મદનીએ પણ રાષ્ટ્રગાનની કેટલીક પંક્તિઓને વાંધાજનક ગણાવી હતી. મુસ્લિમ લૉ બોર્ડે પણ દેવબંદના અધિવેશનમાં લેવાયેલા નિર્ણયને ટેકો આપતા જણાવ્યું હતું કે મુસ્લિમો અલ્લા સિવાય કોઇની પણ પ્રાર્થના કરી શકે નહિ.
ભાજપે આ ઠરાવનો આકરો વિરોધ કર્યો હતો. ભાજપ નેતા મુરલી મનોહર જોશીએ ઠરાવને અસ્વીકાર્ય ગણાવતા જણાવ્યું હતું કે આ પ્રકારનો ઠરાવ બંધારણીય જોગવાઇની વિરુદ્ધ છે, જોશીએ જણાવ્યું હતું કે આઝાદીની લડાઇ દરમિયાન 'વંદે માતરમ' લડવૈયાઓ માટે પ્રેરણાદાયી ગીત હતું. આ સાથે ભાજપે અધિવેશનમાં પી.ચિદમ્બરમની હાજરીની પણ ટીકા કરી હતી. ભાજપ અગ્રણી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે વંદે માતરમ વિરોધી ઠરાવ પસાર થયા પછી ચિદમ્બરમની હાજરીનું કારણ સ્પષ્ટ કરવાની વડાપ્રધાને સ્પષ્ટતા કરવી જોઇએ.
દેશભરમાંથી ઉમટેલા ૧૦,૦૦૦થી વધુ મોલવીએ મંજૂર રાખેલા ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટે પણ તેના ચુકાદામાં જણાવ્યું હતું કે કોઇ પણ વ્યક્તિને વંદે માતરમ ગાવાની ફરજ પાડી શકાય નહિ. ઠરાવમાં એમપણ કહેવાયું છે કે 'દેશભક્તિ દર્શાવવા માટે વંદે માતરમ ગાવું જરૃરી નથી, આપણે દેશને ચાહીએ છીએ અને અનેકવાર અમે આ પુરવાર કર્યું છે, પણ વંદે માતરમને કારણે એકેશ્વરવાદમાં અમારી શ્રધ્ધાનો ભંગ થાય છે, એકેશ્વરવાદ ઇસ્લામનો આધારસ્તંભ છે.' ઠરાવમાં કહેવાયું છે કે 'અમે આપણી માતૃભૂમિનું સન્માન કરીએ છીએ, પણ પૂજા નથી કરતા.' આ સાથે ઠરાવમાં મુસ્લિમોને નિશાન બનાવવા માટે વંદે માતરમનો દુરુપયોગ કરવામાં આવતો હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. ઠરાવ પસાર થયાની ઘટના બાદ કેટલાક સ્થળોએ દારુલ ઉલુમના પુતળાદહનના કાર્યક્રમો પણ યોજાયા હતા.
|