|
રિઝર્વ બેન્કે IMF પાસેથી ૩૧૫ અબજમાં ૨૦૦ ટન સોનું ખરીદ્યું |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
મંગળવાર, 03 નવેમ્બર 2009 |
|
ભારતની વધતી જતી આર્થિક તાકાતનું વધુ એક દ્રષ્ટાંત
(પીટીઆઇ) નવી દિલ્હી,
રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ ૬.૭ અબજ ડૉલર (અંદાજે રૃ.૩૧૫ અબજ)ની કિંમતે ઇન્ટરનેશન મોનેટરી ફંડ પાસેથી ૨૦૦ ટન સોનુ ખરીદ્યું છે. આ સાથે આરબીઆઇ પાસેના સોનાનો જથ્થો ૩૫૭ ટનથી ૫૫ ટકા વધીને ૫૫૭ ટન થઇ ગયો છે. આઇએમએફે અગાઉ ગરીબ દેશોને આર્થિક રાહત પહોંચાડવા માટે ૪૦૩ મેટ્રીક ટન સોનુ વેચવાની જાહેરાત કરી હતી. સપ્ટેમ્બર ૨૦૦૯ સુધીમાં દેશનું વિદેશી હુંડિયામણ ૨૮૦ અજબ ડૉલરે પહોંચતા કેન્દ્રીય બેન્કને સોનાનો જથ્થો વધારવાની તક મળી હતી.
આરબીઆઇનો સોનાનો જથ્થો ૩૫૭ ટનથી ૫૫ ટકા વધી ૫૫૭ ટન નાણાં ભંડોળે ગરીબ દેશોને લોન આપવા સોનાનું વેચાણ કર્યું
આરબીઆઇએ આજે આઇએમએફ પાસેથી ૬.૭ અમેરિકન ડૉલરનું કિંમતે ૨૦૦ ટન સોનુ ખરીદવાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ જણાવ્યું હતું કે 'રિઝર્વ બેન્કે સોનુ ખરીદવાનો નિર્ણય કર્યો હતો, સામાન્યપણે આરબીઆઇ સમયાંતરે સોનુ ખરીદતી હોય છે. આઇએમએફે વેચવાનો નિર્ણય કર્યો હતો અને અમે ખરીદવા ઇચ્છતા હતા.' મુખરજીને જ્યારે પ્રશ્ન કરાયો કે શું આરબીઆઇ દ્વારા સોનાની ખરીદી દેશના અર્થતંત્રની મજબુતી દર્શાવે છે? તો તેમણે ટૂંકમાં પ્રત્યુત્તર આપ્યો હતો કે 'આ તમારો નિષ્કર્ષ છે.'
આઇએમએફે લંડનમાં મળેલી જી-૨૦ બેઠક દરમિયાન ૪૦૩.૩ મેટ્રીક ટન સોનુ વેચવાનો નિર્ણય કર્યો હતો, જેમાંથી અડધો જથ્થો ભારતે ખરીદી લીધો છે. આઇએમએફે ગરીબ દેશોને રાહતદરે લોન પુરી પાડવા માટે સોનાનો જથ્થો વેચવાનો નિર્ણય કર્યો હતો. આરબીઆઇએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે ૧૯ ઓક્ટોબરથી ૩૦ ઓક્ટોબરના સમયગાળા દરમિયાન બજાર ભાવને આધારે સોનાનો જથ્થો ખરીદવામાં આવ્યો હતો. આ સાથે આરબીઆઇ પાસેના સોનાનો જથ્થો ૩૫૭ ટનથી ૫૫ ટકા વધીને ૫૫૭ ટન થઇ ગયો છે.
આરબીઆઇ પાસેના સોનાના વર્તમાન ૩૫૭ ટનના જથ્થાનું મૂલ્ય ૯.૬ અબજ ડૉલર આંકવામાં આવે છે, જેમાંથી ૬૫ ટન સોનુ બેન્ક ઑફ ઇગ્લેન્ડ અને બેન્ક ઑફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટમાં ડિપોઝીટ કરવામાં આવ્યું છ. વર્ષ ૧૯૯૧માં પેમેન્ટ કટોકટીમાંથી ઉગરવા ભંડોળ ઉભુ કરવા આરબીઆઇએ બેન્ક ઑફ ઇંગ્લેન્ડમાં સોનુ જમા કરાવ્યું હતું. ખાડી કટોકટી બાદ ભારતનું વિદેશી હુંડિયામણ ૩૧ માર્ચ, ૧૯૯૧ના રોજ ઘટીને ૫.૮ અબજ ડૉલર થઇ ગયું હતું. જો કે ઉદારીકરણની નીતિને કારણે મે ૨૦૦૮ સુધીમાં દેશનું હુંડિયામણ વધીને ૩૧૪.૬૧ અબજ ડૉલર થઇ ગયું હતું. એ પછી ૨૫ સપ્ટેમ્બર, ૨૦૦૯ સુધીમાં હુંડિયામણ ૨૮૦ અબજ ડૉલરના ઊંચા હુંડિયામણને કારણે આરબીઆઇને સોનાના જથ્થામાં વધારો કરવાની તક મળી હતી
|