Last Updated:19 ડિસેમ્બર 2011

શતાબ્દી ટ્રેનના એન્જિન નીચે કચડાતાં છ વ્યક્તિઓનાં મોત છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
મંગળવાર, 03 નવેમ્બર 2009
હરિયાણાના પટૌડી પાસે

(પીટીઆઇ)    પટૌડી (હરિયાણા),
હરિયાણામાં એક મહિલા અને બાળક સહિત છ વ્યક્તિઓઓનું દિલ્હીથી અજમેર જઇ રહેલી શતાબ્દી ટ્રેન નીચે કચડાઇ જતા મોત નિપજ્યું હતું. જ્યારે ચાર અન્ય વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. માર્યા ગયેલા તમામ વ્યક્તિઓ પાટા ઓળંગી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો જેને પગલે સ્થાનિક લોકોએ ટ્રેનને ઘેરીને પથ્થરમારો કર્યો હતો.

ગુડ્ઝ ટ્રેન પસાર થયા પછી ઉતાવળે પાટા ઓળંગવા જઇ રહેલી તમામ વ્યક્તિઓનું સામેથી આવતી ટ્રેન તરફ ધ્યાન ન જતાં અકસ્માત

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સવારે ૭.૩૦ના વાગ્યે છ વ્યક્તિઓ ગુડ્ઝ ટ્રેન પસાર થઇ ગયા પછી ઝડપથી પાટા ઓળંગવા જઇ રહ્યા હતા એવામાં સામેના પાટા પરથી આવી રહેલી શતાબ્દી ટ્રેન તરફ તેમનું ધ્યાન ગયું ન હતું જેને કારણે તમામ ટ્રેન એન્જિન નીચે કચડાઇ ગયા હતા.

ગોઝારી દૂર્ઘટનાને પગલે સ્થાનિક લોકોએ ટ્રેનને ઘેરીને ભારે પથ્થરમારો કર્યો હતો. બાદમાં ડેપ્યુટી કમિશ્નરના નેતૃત્વ હેઠળની પોલીસ ટુકડીએ ઘટના સ્થળે પહોંચી સ્થિતિને નિયંત્રણ હેઠળ લીધી હતી. બાદમાં જિલ્લા વહીવટીતંત્રએ માર્યા ગયેલા તમામ મૃતકોના પરિવારજનોને રૃ.૫ લાખના વળતરની જાહેરાત કરી હતી, તથા ઇજાગ્રસ્તોની સારવારનો ખર્ચ ઉપાડવાની પણ ખાતરી આપી હતી. માર્યા ગયેલાઓના મૃતદેહ વેરવિખેર થઇ ગયા હોવાથી તેમની ઓળખ શક્ય બની ન હતી. ઉત્તર રેલવેના જનસંપર્ક અધિકારી અનંત સ્વરૃપે જણાવ્યું હતું કે અકસ્માતને કારણે ટ્રેનનું એન્જિન પણ ખોટકાઇ ગયું હતું. જો કે બાદમાં તાત્કાલિક બીજું એન્જિન રવાના થયા પછી ટ્રેનને આગળના પ્રવાસ માટે રવાના કરવામાં આવી હતી. દિલ્હીથી જયપુર વચ્ચેનો રેલ વ્યવહાર સામાન્ય હતો. સ્થાનિક લોકો ઘટનાસ્થળે લાંબા સમયથી ફાટક નાખવાની માંગણી કરી રહ્યા હતા જેને કારણે અકસ્માત સર્જાયા બાદ તેઓ ભારે રોષે ભરાયા હતા.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી