|
ઉ.પ્રદેશના ચીફ સેક્રેટરીએ સુપ્રીમ કોર્ટની માફી માંગી |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
મંગળવાર, 03 નવેમ્બર 2009 |
માયાવતીના પૂતળા કાર્યક્રમ બદલ
(પીટીઆઇ) નવી દિલ્હી,
સર્વોચ્ચ અદાલતના આદેશની ઉપરવટ જઇને લખનઉમાં મુખ્યપ્રધાન માયાવતી સહિતના
દલિત નેતાઓના રૃા. ૨૬૦૦ કરોડના ખર્ચે તૈયાર થતા સ્મારકોનું બાંધકામ ચાલુ
રાખવા બદલ ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવે સુપ્રીમ કોર્ટની ''પ્રામાણીક અને
બિનશરતી માફી'' માગી છે.
સર્વોચ્ચ અદાલતના આદેશની માયાવતી સરકારે અવગણના નહિ કરી હોવાનો દાવો
મુખ્ય સચિવ અતુલ કુમાર ગુપ્તાએ દાખલ કરેલા ૫૧ પાનાનાં સોગંદનામામાં તેમણે જણાવ્યું હતું કે તેમને સર્વોચ્ચ અદાલત માટે ઘણું માન છે અને અદાલતના આદેશોનો સ્વીકાર કરવો એ તેમની ફરજ છે. આ અગાઉ ૬ ઓકટોબરના રોજ સુપ્રીમ કોર્ટે મુખ્ય સચિવને અદાલતના આદેશની અવમાનના કરવા બદલ નોટિસ ફટકારી હતી. સ્મારકોનું બાંધકામ અટકાવવાનો અદાલતે આદેશ આપ્યો હોવા છતાં બાંધકામ ચાલુ હોવાની મુખ્ય સચિવ સામે ફરિયાદ દાખલ થઇ હતી. ૮ અને ૧૧ સપ્ટેમ્બરના રોજ આ બાંધકામ અટકાવવા અંગે રાજ્ય સરકારે અદાલતને બાંયેધરી પણ આપી હતી.
ગુપ્તાના સોગંદનામામાં જણાવાયું હતું કે તેમને સર્વોચ્ચ અદાલતે આપેલા આદેશ પ્રત્યે અનહદ આદર છે અને અદાલતના આદેશનું પાલન કરવાની દિશામાં તેમણે પગલાં પણ ભર્યા હતા. તેમ છતાં અદાલતના આદેશનું પાલન કરવામાં કોઇ અમાનના, વિચલન કે ગેરવર્તણૂક થઇ હોય તો તેઓ પ્રમાણીક અને બિનશરતી માફી માગે છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ અદાલતના આદેશનો અમલ થાય તે માટે જરૃરી કાર્યવાહી કરશે. સચિવે જણાવ્યું હતું કે જે સ્થળો પર બાંધકામ ચાલુ હતું તેનો સમાવેશ અલ્હાબાદ વડી અદાલતમાં દાખલ કરાયેલી અરજીમાં કરાયો નહોતો. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ઉત્તરપ્રદેશની માયાવતી સરકારે પણ આવું જ મંતવ્ય રજૂ કર્યું હતું.
|