|
બાબરીધ્વંસ કટ્ટરવાદનું કૃત્ય હતું ઃ ચિદમ્બરમ |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
મંગળવાર, 03 નવેમ્બર 2009 |
|
(પીટીઆઈ) દેવબંદ (ઉત્તરપ્રદેશ),
અયોધ્યા ખાતે બાબરી મસ્જિદધ્વંસને ધાર્મિક ઝનૂન અને અતિશય પૂર્વગ્રહતી
ભરેલું કૃત્ય ગણાવીને ગૃહપ્રધાન પી. ચિદમ્બરમે જણાવ્યું હતું કે કોમવાદ
કોઈપણ સ્વરૃપે હોય તે સ્વીકાર્ય નથી અને લઘુમતીઓની રક્ષા કરવાની ફરજ
બહુમતી સમુદાયની છે. મુસ્લિમો ભારતના આદરણીય નાગરિકો હોવાનું પણ તેમણે
કહ્યું હતું.
(પીટીઆઈ) દેવબંદ (ઉત્તરપ્રદેશ),
અયોધ્યા ખાતે બાબરી મસ્જિદધ્વંસને ધાર્મિક ઝનૂન અને અતિશય પૂર્વગ્રહતી ભરેલું કૃત્ય ગણાવીને ગૃહપ્રધાન પી. ચિદમ્બરમે જણાવ્યું હતું કે કોમવાદ કોઈપણ સ્વરૃપે હોય તે સ્વીકાર્ય નથી અને લઘુમતીઓની રક્ષા કરવાની ફરજ બહુમતી સમુદાયની છે. મુસ્લિમો ભારતના આદરણીય નાગરિકો હોવાનું પણ તેમણે કહ્યું હતું.
ભારતમાં લઘુમતી સમુદાયનું રક્ષણ કરવાની જવાબદારી બહુમતીની છે
ગૃહપ્રધાન પી. ચિદમ્બરમે જણાવ્યું હતું કે ધર્મનાં નામે આચરવામાં આવતી હિંસાની ટીકા થવી જ જોઈએ. દેવબંદ ખાતે જમિયત ઉલમા-એ-હિંદના ૩૦મા સામાન્ય સત્રમાં તેમણે દેવબંદના મદ્રેસા દ્વારા અગાઉ આતંકવાદ સામે બહાર પાડેલા 'ફતવા'ની પણ સરાહના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ માત્ર મુસ્લિમોને નહીં પણ સાચી સમજવાળા દરેક લોકોએ આ અનુસરવાનું છે.
ચિદમ્બરમે જણાવ્યું હતું કે તમામ પ્રકારનો કોમવાદ ટીકાને પાત્ર છે અને તેમાં પણ કોમી હિંસા ભડકાવતો કોમવાદ સૌથી ખરાબ છે. બાબરીધ્વંસ એ ધાર્મિક ઝનૂન અને પૂર્વગ્રહનું પરિણામ હોવાનું કહી તેમણે ઉમેર્યું હતું કે ધર્મના નામે હિંસાનો માર્ગ અપનાવવો એ પણ ટીકાને પાત્ર છે. તેમણે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૮ની ૨૫મી ફેબુ્રઆરીના રોજ દેવબંદ ખાતે દારુલ ઉલૂમે આતંકવાદ સામે 'ફતવો' બહાર પાડયો હતો અને તેના કારણે તેમને ઘણો આનંદ છે. આ ઉપરાંત ઈસ્લામમાં તમામ પ્રકારની હિંસા, શાંતિનો ભંગ, ખૂનામરકી, હત્યા અને લૂંટફાટને નકારવામાં આવી હોવાનું પણ દારુલ ઉલૂમે જાહેર કર્યું હતું. ગૃહપ્રધાને જણાવ્યું હતું કે લોકશાહીમાં લઘુમતીનું રક્ષણ કરવાની જવાબદારી બહુમતી સમાજની છે. આ નિયમ માનવાધિકારના મૂળમાં રહેલો છે. કોઈપણ વ્યક્તિ ઈસ્લામ ધર્મને પારકો ગણી શકે નહીં કારણ કે મુસ્લિમ બિરાદરો ભારતના આદરણીય નાગરિકો છે.
|