|
સરહદ ઓળંગીને ઘુસી રહેલા આતંકવાદીને ઠાર કરાયો |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
Written by GS News
|
|
Tuesday, 03 November 2009 |
|
(પી.ટી.આઇ.)
શ્રીનગર તા.૩ કુપવારા જિલ્લામાં સરહદ ઓળંગીને ભારતમાં ઘુસી રહેલા એક આતંકવાદીને સિક્યોરિટી દળોએ ઠાર કર્યો હતેા.
શ્રીનગરથી ૧૭૦ કિલોમીટર દૂર તંગધરમાં સિક્યોરિટી દળોએ
કેટલીક શંકાસ્પદ હિલચાલ જોઇ હતી. સિક્યોરિટી દળોેએ તેમને પડકારતાં સામેથી
ગોળીબાર શરૃ થયો હતો. દળોએ વળતો ગોળીબાર કર્યો હતો જેમાં એક આતંકવાદી ઠાર
થયો હતો.
આ હેવાલ લખાતો હતો ત્યારે પણ આતંકવાદીઓ સાથેની અથડામણ ચાલુ હતી. વધુ વિગતોની વાટ જોવાઇ રહી હતી.
|