|
ભારતની અખંડિતતા પર ખતરો ઃ મોહન ભાગવત |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
Written by GS News
|
|
Monday, 02 November 2009 |
|
(પીટીઆઈ) જબલપુર,
દેશની રાષ્ટ્રીય એકતા સામે હાલ આંતરિક અને બાહ્ય અનેક તાકાતોનું જોખમ ઉભું
થયું હોવાની ચેતવણી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે આપી
છે.
ભારતની આંતરિક બાબતોમાં ચીનની ડખલગીરી વધી રહી હોવાનો સંઘનો મત
જબલપુર ખાતે ગઈ સાંજે એક કાર્યક્રમ દરમિયાન ભાગવતે જણાવ્યું હતું કે ભારતની આંતરિક બાબતોમાં ચીનનો ચંચુપાત વધી રહ્યો છે જ્યારે પાકિસ્તાન સાથેના વિવાદો ઘણા વર્ષોથી ચાલતા જ આવે છે. તેમણે જણાવ્યું હતું કે એક સમય હતો જ્યારે ભારત રશિયા સાથે ઘરોબો કેળવવા માંગતું હતું. ત્યારબાદ તેણે અમેરિકા તરફ મીટ માંડી અને હવે દેશની નજર ચીન તરફ છે.
ભાગવતે જણાવ્યું હતું કે આ તમામ બાબતો કમનસીબ છે અને આપણે સાચા ભારતીય ક્યારે બનીશું તે અંગે મને ઘણું આશ્ચર્ય છે. હાલ દેશની એકતા સામે આતંકવાદ અને નકસલવાદ જેવી તાકાતોનું જોખમ છે. વૈશ્વિકિકરણના કારણે ભારતની તાકાતમાં વધારો કરવામાં મદદ ચોક્કસ મળી હશે પણ સાથે સાથે દેશની ફરતે જોખમોમાં પણ વધારો થઈ રહ્યો છે.
|