Last Updated:19 ડિસેમ્બર 2011

પાકિસ્તાન બોર્ડને નુકશાન વળતર પેટે રૃા. ૯૦ કરોડ જેટલી રકમ મળશે છાપો ઈ-મેલ
રમત જગત સમાચાર
આના લેખક છે GS NEWS   
સોમવાર, 02 નવેમ્બર 2009
વર્લ્ડકપની ૧૪ મેચો પાકિસ્તાનમાં યોજાનાર હતી

દુબઈ,
આતંકવાદના ભયના પગલે પાકિસ્તાનની ૨૦૧૧ના વર્લ્ડકપના સહઆયોજક તરીકે બાદબાકી થઈ ગઈ છે ત્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આઈસીસી તરફથી કુલ ૧.૮ કરોડ ડોલર એટલે કે રૃા. ૯૦ કરોડ જેટલી રકમ નુકશાન વળતર પેટે મળશે. અગાઉના નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ વર્લ્ડકપનું સહઆયોજક નક્કી થયું હતું પણ ત્યાર પછી વર્ષોત્તર પાકિસ્તાનમાં આતંકવાદી હુમલા વધતાં ક્રિકેટ રમતા દેશોએ પાકિસ્તાનનો પ્રવાસ ખેડવાનો ઈન્કાર કર્યો હતો. તેમાં પણ ગયા વર્ષે લાહોરમાં માર્ચ મહિનામાં શ્રીલંકાની ટીમની બસ પર આતંકવાદી હુમલો થતા પાકિસ્તાનની નજીકના ભાવિમાં મેચો યોજવાની રહી-સહી આશા પર પણ પાણી ફરી વળ્યું હતું. પાકિસ્તાન વર્લ્ડકપની ૧૪ મેચો યોજવાનું હતું જે હવે અન્ય ત્રણ સહઆયોજક દેશોને ફાળવી દેવાઈ છે.

ગેરંટી મની માટે આઈસીસીએ સૈદ્ધાંતિક મંજુરી આપી

પણ, આઈસીસીએ પાકિસ્તાન બોર્ડને વિશ્વાસમાં લીધા વગર તેઓની મીટિંગમાં જ સહઆયોજક તરીકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની બાદબાકી કરી દેતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આઈસીસી વિરૃદ્ધ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જવાની ધમકી આપી હતી.

આઈસીસીએ પાકિસ્તાન બોર્ડને નુકશાન વળતર આપવાની બાંહેધરી આપી હતી જે અંતર્ગત ૧ કરોડ ડોલર ગેરંટી મની તરીકે આપવાનો ઠરાવ પસાર કર્યો હતો. આ ઉપરાંત પાકિસ્તાન તેની ૧૪ મેચોની ટિકિટ વેચાણ, ઈન સ્ટેડિયમ જાહેરખબરની આવક તથા અન્ય આવકો મેળવી શકે તેમ હતું તેનો અંદાજ આઈસીસીની આ માટે કાર્યરત ખાસ બીઝનેસ કમિટિએ મેળવ્યો હતો. તેઓએ ૧૪ મેચો થકી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ૮૦ લાખ ડોલર જેટલી આવક થઈ શકી હોત તેમ આઈસીસીને રીપોર્ટ આપ્યો હતો. જેને આઈસીસીએ મંજુર કર્યો હોવાનું મનાય છે. આમ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ૧.૮ કરોડ ડોલર એટલે રૃા. ૯૦ કરોડ જેટલી માતબર રકમ એક પણ મેચ યોજ્યા વગર મળશે.

 
< પાછળનુ   આગળનુ >

Latest News

From The Archives

મનોરંજન સમાચાર

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

વેપાર જગત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી