|
પોલીસને થાપ આપીને ક્રિકેટરો ફરવા નીકળ્યા |
|
|
|
રમત જગત સમાચાર
|
|
Written by GS News
|
|
Monday, 02 November 2009 |
|
(પી.ટી.આઇ.) ચંડીગઢ
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને ઓફ્ફ સ્પીનર હરભજન સિંહે પોલીસને જણાવ્યા વિના હૉટલની બહાર સરકી જઇને ચંડીગઢ પોલીસને થોડી વાર માટે ચિંતામાં નાખી દીધી હતી.
એ જ રીતે સુરક્ષા વ્યવસ્થાની ઑફર ઠુકરાવીને યુવરાજ સિંહ પણ
ગઇ રાત્રે હૉટલની બહાર નીકળી ગયો હતો. પોલીસે કહ્યંુ હતું કે આ
ક્રિકેટર્સની 'બેજવાબદાર વર્તણૂક' અમને ગમી નથી અને પોલીસે ક્રિકટેર્સની
આવી બેદરકારીનો એક રિપોર્ટ પણ તૈયાર કર્યો હતો. યુવરાજ તો ચંડીગઢનો જ છે
અને એ હરિયાણાની હંગામી રજિસ્ટ્રેશન પ્લેટ ધરાવતી એક ઑડી કારમાં બહાર ગયો
હતો અને થોડા કલાકો પછી પાછો ફર્યો હતો.
|