માત્ર આર્થિક સધ્ધરતા અને સુખમય જીવનશૈલી પ્રાપ્ત કરવાની
અદમ્ય ઈચ્છાથી માતૃભૂમિ, પરિવાર, મિત્રો, સંબંધી અને સમાજથી દૂર..
વિદેશમાં સ્થાયી થયેલા ગુજરાતીઓનાં દિલમાં પોતાના દેશ પ્રત્યેની લાગણીની
જ્યોત હંમેશા પ્રજ્વલિત રહે છે. પૈસાની પાછળ આંધળી દોટ મૂકતાં એનઆરઆઈઓનાં
કઠણ હ્દયમાં પણ ગુજરાતી તરીકેની સંવેદનાઓ હજી જીવંત છે. એક સોશિયલ
નેટવર્કિંગ સાઈટ ઉપર અનેક ગુજરાતીઓએ પોતાની વ્યથા એક કવિતાનાં માધ્યમથી
વ્યક્ત કરી છે. આ કવિતામાં તેમનાં હ્દયની વેદનાઓની ઝાંખી જોવા મળે છે.
વિદેશમાં સ્થાયી થયેલા એનઆરઆઈઓ પોતાના સમાજથી દૂર રહીને કેટલા વ્યથીત છે
તે જાણવા એક નજર આ કવિતા ઉપર કરવી અત્યંત જરૂરી છે. સોશિયલ નેટવર્કિંગ
સાઇટ ઉપર મોટાભાગનાં ગુજરાતી એનઆરઆઈઓનાં બ્લોગ ઉપર આ કવિતા છે. જોકે, તેનો
લેખક કોણ છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી..અલબત્ત, આ કવિતાથી પ્રભાવિત
થઈને લગભગ તમામ ગુજરાતીઓએ તેને પોતાના બ્લોગ પર પ્રકાશિત કરી દીધી છે...!!
વિદેશમાં વસતાં ગુજરાતીઓનાં પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ
માટેનું આદર્શ સ્થળ વડોદરા બની રહ્યું છે. સંસ્કારી નગરી વડોદરાનાં ચોફેર
થઈ રહેલા વિકાસ અને શાંતિપૂર્ણ વાતાવરણથી એનઆરઆઈઓ પ્રભાવિત થઈ રહ્યા છે.
ડિસેમ્બર મહિનાથી શરૂ થનારી એનઆરઆઈ સિઝન માટે વડોદરાનાં એસ્ટેટ બ્રોકરો
સજ્જ થઈ ગયા છે. તેઓએ એનઆરઆઈની પસંદગીને અનુરૂપ ફ્લેટસ અને લક્ઝુરિયસ
બંગ્લોઝની યાદી તૈયાર કરી દીધી છે.
સંસ્કારી નગરી વડોદરામાં ઉજવાતી ઉત્સવોની હારમાળામાં
સર્વોચ્ચ સ્થાન નરસિંહજીનાં વરઘોડાએ પ્રાપ્ત કર્યું છે. દેવદિવાળીનાં
પવિત્ર પર્વે સંપૂર્ણ સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ભગવાન નરહરીલાલનો વરઘોડો આજે
વડોદરાની નરસિંહજીની પોળમાંથી નીકળ્યો હતો. આ પારંપરિક વરઘોડામાં હજારો
શ્રદ્ધાળુઓની જનમેદની જોડાઈ હતી. સોના-ચાંદીનાં આભુષણો અને હિરાજવેરાતથી
જડેલા ઘરેણા પહેરીને ભગવાન નરહરીલાલ વિશેષ પાલખીમાં સવાર થઈને તુલસી વિવાહ
માટે નીકળ્યાં હતા.
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ.એ બળતણ ભાવની ત્રિમાસિક નિયત સમીક્ષા દરમિયાન
ઓક્ટોબર- ડિસેમ્બર, ૦૯ ના સમયગાળા માટે ફ્યુઅલ સરચાર્જમાં ૧૭ પૈસા પ્રતિ
યુનિટે ઘટાડો કરતા રાજ્યના લાખો વીજગ્રાહકો રાહતનો શ્વાસ લેશે. આને
વીજકંપની તરફથી ગ્રાહકોને દિવાળી નહીં પણ દેવદિવાળીનું બોનસ ગણી શકાશે.
ગુજરાતની જૂની રંગભૂમિનાં સૌથી જૈફ અને અંતિમ કલાકાર
મૂળચંદ નાયકે પૃથ્વીની રંગભૂમિમાંથી આંચકાજનક વિદાય લીધી છે. ગઈકાલે
પેન્શનની રકમ ઉપાડવા માટે આજવા રોડ પર આવેલી પોસ્ટ ઓફિસમાં જઈ રહેલા
મૂળચંદ નાયકને કોઈ અજાણ્યા મોટરબાઈક ચાલકે અડફેટે લેતાં તેમને ગંભીર ઈજા
પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે અત્રેની સયાજી હોસ્પિટલમાં લઈ જવાયા
હતા. જ્યાં સારવાર મળે તે પહેલા જ તેમનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતુ. આ
સાથે જ ગુજરાતની જુની રંગભૂમિનાં છેલ્લા જીવીત કલાકારનાં જીવનનો પણ અંત
આવી ગયો હતો.
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,
ધનતેરસના દિને ધનપૂજન અને લક્ષ્મીપૂજન કરીને લોકો ધનની યાચના કરવામાં આવે
છે અને લક્ષ્મીજીની કૃપા જો વરસે તો જ ધન પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ
સપનાંમાં પણ ન આવે તેમ બેંક ખાતામાં અચાનક પાંચ દશ હજાર નહીં, પણ સીધા
રૃા.૩૯ કરોડ જમા થઈ જાય તો ધનતેરસે ધનવર્ષા જ થઈ કહેવાય કે નહીં ?
અમદાવાદમાં સામાન્ય મિસ્ત્રી કામ કરતા જુગલકિશોરના પંજાબ નેશનલ બેન્કના
બચત ખાતામાં સીધા રૃા.૫૯.૩૦ કરોડની જંગી રકમ જમા થઈ ગયા હતા. આવો જ એક
બનાવ ભરૃચમાં પણ બન્યો છે અને યોગાનુયોગ આ બનાવ પણ પંજાબ નેશનલ બેંકના
ખાતેદાર સાથે જ બન્યો છે.
નવરાત્રિ અને દિવાળી વચ્ચેનાં દિવસોમાં સામાન્ય રીતે એવી
શિતળતા વર્તાય છે કે, ગુજરાતમાં દિવસે હળવી ઠંડક અને રાત્રે બાકાયદા ઠંડી
લાગે છે. પરંતુ, આ વર્ષે હવામાનમાં આવેલા અજીબ પરિવર્તનનાં કારણે હાલની
ઋતુને સમજવી સામાન્ય માનવી માટે મુશ્કેલ થઈ પડી છે. કારણ કે, હાલમાં દિવસે
કાળઝાળ ગરમી, સાંજે આંશિક ઠંડક અને રાત્રે ઉકળાટનો અનુભવ થાય છે.