મોડાસા,
જગત જનની મા અંબાના ભાદરવી પૂર્ણિમાના મહામેળાના પાંચમા દિવસે સાડા ત્રણ
લાખ ભાવિકોએ માતાજીના દર્શન કર્યા હતાં. આજે ઉ. ગુજરાત અને મ. ગુજરાતના
ગામડામાંથી ઉમટેલા પદયાત્રીઓથી અંબાજી શક્તિપીઠનું પવિત્ર તીર્થ ઉભરાઈ
ગયું હતું. હાથમાં લાલ- લાલ ધજાઓ અને રથ સાથે લાખો પદયાત્રીઓનું આગમન થતાં
અંબાજીની ગલીઓમાં ને મુખ્યમાર્ગો ઉપર મહેરામણના જય અંબેના જયઘોષથી વાતાવરણ
ગૂંજી ઉઠયું હતું. હજી પૂનમ આડે ચૌદશનો એક દિવસ શેષ છે દરમિયાન અંબાજીને
જોડતાં ૫૦થી ૬૦ કિ.મી. દૂરના દરેક માર્ગો પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે. જે
ચૌદશ સાંજ અને પૂનમની સવાર સુધીમાં અંબાજીમાં આવી જશે.
પાલનપુર, બનાસકાંઠાના નેતાઓની ભલામણથી દિવેલાનું બિયારણ આપી દેનાર કૃષિ યુિ.ના સત્તાવાળાઓ જેમ ખેડૂતો સાથે છેતરપીંડીના ખેલ આચરી રહ્યાં છે. તેમ લાખ્ખો રૂપિયાની દવાઓની ખરીદી અને મડીકલ બીલોની ચૂકવણી વગર ડોકટરે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાંકરાય છે. નવાઇની વાત એ છે કે આખાય કૌભાંડને ઢાકંવા કોઇ લેભાગુ મેડીકલ ઓફીસર તરીકે સહીઓ કરાવાય છે. આ પ્રકરણની ઊંડી તપાસ કરાય તો છેલ્લા ચાર પાંચ વર્ષમાં ઉપરી અધિકારીઓના મેળાપિપણામાં રાજ્ય અને કેન્દ્ર સરકારના લાખ્ખો રૂપિયા અદ્ધરતાલ થઇ ગયા છે.
ઊંઝા, ઊંઝા ગંજબજાર નજીક ગોડાઉન વિસ્તારમાં છેલ્લા ૧૦ વર્ષથી રસ્તાઓ બિસ્માર હાલતમાં ફેરવાઇ ગયા છે. ૫૦૦ ઉપરાંત ગોડાઉન તથા ૧૦૦ ઉપરાંત ફેકટરીઓ ધરાવતાં ગોડાઉન વિસ્તારમાંથી લાખો રૂપિયાનો ટેક્ષ નગરપાલિકાને મળતો હોવા છતાં રસ્તાઓની સુવિધા આપવામાં પાલિકા તરફથી ઠાગાઠૈયા કરાતા હોવાથી હાલમાં કાદવ કિચડથી રસ્તાઓ ઉભરાઇ રહેતાં વેપારીઓ આલમમાં રોષ ફેલાયો છે.
મહેસાણા, જીલ્લાની સરકારી કચેરીઓમાં કર્મચારીઓના ઇજાફા ઓનલાઇન મંજુર કરવાનો ઠરાવ કલેકટર કચેરી દ્વારા છેલ્લા ત્રણ દિવસથી કરવામાં આવ્યો છે. પરંતુ ઇન્ટરનેટ ન ખુલવાથી તેમજ ત્રણ દિવસ ઉપરાંતનો સમય વિતવા છતાં સોફ્ટવેર ઇન્સ્ટોલ ન કરાતાં ઓનલાઇન ઇજાફા મંજુર કરવાની કાર્યવાહી અટકાવા પામી છે.
સેપ્ટ યુનિવર્સિટી અમદાવાદ દ્વારા રૂા. ૧૫૩૫ કરોડનું
મહેસાણા, મહેસાણા શહેર અને જિલ્લાએ ગુજરાતના અન્ય જિલ્લાઓની સરખામણીમાં છેલ્લા પાંચ વર્ષમાં હરણફાળ પ્રગતિ કરી છે. આગામી ૩૦ વર્ષમાં એટલે કે ૨૦૩૧ સુધીમાં રૂા.૧૫૩૫ કરોડના ખર્ચે તમામ પાસાઓને આવરી લઇ વિકાસ કરવા માટેનો સિસ્ટેમેટીકલ પ્લાન બનાવ્યો છે. જેમાં આવનારા ત્રણ દાયકામાં શહેરનો દરેક ક્ષેત્રે થનાર વિકાસ લક્ષમાં રાખી રસ્તાઓ, પાણી, ગટર, બ્રીજ, તેમજ અન્ય ઘણી યોજનાઓને લક્ષમાં રાખી પાલિકાએ જિલ્લા કલેકટર, ડી.એસ.પી., ડી.ડી.ઓ. તેમજ શહેરના પ્રબુદ્ધ નાગરિકોનાં મંતવ્યો લઇ પોતે તૈયાર કરેલા માસ્ટર પ્લાન વિષેની માહિતી આપી હતી.
દિયોદર, દિયોદરમાં ઘણાંજ વર્ષોથી નિઃશુલ્ક પીવાના પાણીની સુવિધા પુરી પાડતા સેવાભાવી યુવાને જે કામગીરી સરકારી તંત્ર પુરેપુરી નથી કરી શકતું તે કરી બતાવ્યું છે. આ યુવાને ૩૦૦૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી તેના માવજત માટે પાણી સુધીની જરૂરિયાતો ઉભી કરી દીધી છે. ત્યારે આ યુવાને આટલેથી નહિં અટકીને એકલાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવાની ઇચ્છા ધરાવતો હોવાનું જણાવતાં આ તેનો વૃક્ષો પ્રત્યેનો અનેરો પ્રેમ જોવા મળી રહ્યો છે.
થરા, થરામાં રોજીંદુ પેટીયું રળી ખાનાર નાના મોટા કેબીન ધારકોના કેબીનો ઉપર તંત્રએ બુલડોઝર ફેરવી લગભગ પાંચ કરોડની કિંમતની સરકારી જમીનને દબાણમુક્ત કરી છે. આ જમીન ઉપર ફરીથી દબાણ ન થાય તે માટે કાંકરેજ મામલતદારે થરા નગરપાલિકા સુત્રોને લેખિત તાકિદ કરી હોવાનું જાણવા મળેલ છે.