| Last Update : 10-Feb-2012,Friday |
|
|
| |
|
|
|
|
માલદીવ્સમાં સત્તાપલટો |
હંિદ મહાસાગરમાં આવેલો પરવાળાના ટાપુઓનો દ્વીપસમુહ માલદીવ્સ મુખ્યત્વે કુદરતી સૌંદર્ય, રળિયામણી દૃશ્યાવલી અને પ્રવાસન ઉદ્યોગ માટે જાણીતો છે. છેલ્લાં થોડાં વર્ષથી ત્યાં લોકશાહી દાખલ થઇ હતી. ત્રીસ વર્ષ સુધી એકહથ્થુ શાસન ચલાવનાર પ્રમુખ અબ્દુલ ગયુમની સત્તાનો અંત આવ્યો હતો અને ૨૦૦૮માં થયેલી પહેલી લોકશાહી ઢબની ચૂંટણી પછી મહંમદ નશીદ નવા પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. પરંતુ તેમને પોતાની મુદત પૂરી થાય તે પહેલાં જ મંગળવારે રાજીનામું આપવાની ફરજ પડી છે. તેને કારણે નવજાત લોકશાહી ફરી ડગુમગુ થઇ છે.
રાજીનામું આપનાર પ્રમુખ નશીદની છાપ મઘ્યમમાર્ગી તરીકેની છે. ભૂતપૂર્વ પ્રમુખ ગયુમના લાંબા શાસનકાળનો અંત લાવનાર નેતા તરીકે પણ તે જાણીતા હતા. પરંતુ તેમની સામે છેલ્લાં થોડાં સપ્તાહથી વિરોધ પ્રદર્શન શરૂ થયાં હતાં. તેના માટે ઘણાં કારણ જવાબદાર ગણવામાં આવે છે. માલદીવ્સનું અર્થતંત્ર નબળું પડ્યું હતું. ધંધાઉદ્યોગ ધરાવતા વર્ગને લોકશાહી સરકારની કેટલીક પદ્ધતિઓ સામે વાંધા હતા. પ્રમુખના રાજકીય વિરોધીઓ એક થયા હતા અને તેમનું જોર વઘ્યું હતું. ત્રણ દાયકા સુધી સત્તાનો ભોગવટો કરી ચૂકેલા ભૂતપૂર્વ પ્રમુખ ગયુમ પણ નિવૃત્તિ લઇને કે પગ વાળીને બેઠા ન હતા. દેશની ધાર્મિક નેતાગીરીમાંથી કેટલાકને મઘ્યમમાર્ગી પ્રમુખ નશીદ અધાર્મિક- બિનઇસ્લામિક લાગતા હતા.
ન્યાયતંત્રના અમુક હિસ્સા સામે નશીદનો સંઘર્ષ તેમને સૌથી મોંઘો પડ્યો. બંધારણીય રાહે ન્યાયતંત્રના ભ્રષ્ટાચારની તપાસ પછી નશીદે ન્યાયાધીશ અબ્દુલ્લા મોહમદની ધરપકડનો સૈન્યને આદેશ આપ્યો. નશીદનો આરોપ હતો કે એ ન્યાયાધીશ પદભ્રષ્ટ પ્રમુખ ગયુમના ઇશારે કામ કરીને દેશની ન્યાયપ્રણાલિની તટસ્થતાને જોખમાવી રહ્યા હતા. પરંતુ ન્યાયાધીશની ધરપકડના પગલાની વ્યાપક ટીકા થઇ. તેના વિરોધમાં સડકો પર પ્રદર્શન પણ શરૂ થયાં હતાં, જે છેવટે પ્રમુખ નશીદના પદત્યાગ માટે કારણભૂત બન્યાં.
શરૂઆતમાં તો સૈન્ય અને પોલીસ પ્રદર્શનકારીઓને વિખેરી નાખતા હતા, પરંતુ સોમવારે રાત્રે ઘટનાક્રમમાં આવેલા નિર્ણાયક વળાંકમાં પોલીસદળોએ પ્રદર્શનકારીઓ સામે પગલાં લેવાનો આદેશ માનવા ઇન્કાર કર્યો. સૈન્યનો થોડો હિસ્સો પણ પ્રમુખના આદેશની વિરુદ્ધમાં અને પોલીસના પક્ષે જોડાઇ જતાં, પ્રમુખ નશીદની સ્થિતિ હાલકડોલક બની.
સામાન્ય રીતે આ પરિસ્થિતિમાં બળપ્રયોગનો છેલ્લો વિકલ્પ હોય છે. સરમુખત્યારીની લાંબી પરંપરા ધરાવતા દેશોમાં લોકજુવાળ પેદા થાય ત્યારે શાસકો પ્રજા પર લશ્કરને છૂટું મૂકી દેતાં ખચકાતા નથી.
માલદીવ્સમાં પ્રમુખ નશીદના સવેળાના નિર્ણયને કારણે સત્તાપલટો લોહિયાળ ન બન્યો. સૈન્યે રબરની ગોળીઓ દ્વારા ફાયરંિગ કર્યું હોવાના અહેવાલ છે, પણ લોહિયાળ વિદ્રોહ અને તેની સામે લેવાતાં લોખંડી પગલાંથી થતી જાનહાનિ ટાળી શકાઇ છે. વિદાય લેતા પ્રમુખ નશીદે સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે ‘હું માલદીવ્સના પ્રમુખ તરીકે ચાલુ રહ્યો હોત તો દેશના લોકોને ઘણું વેઠવું પડ્યું હોત. હું માલદીવ્સમાં લોકશાહી મજબૂત બને, ન્યાયનું શાસન સ્થપાય, લોકો સમૃદ્ધ બને એવું ઇચ્છતો હતો.’
ટાપુસમુહ હોવાને કારણે ગ્લોબલ વોર્મંિગની સૌથી ગંભીર અસરો ધરાવતા દેશોમાં માલદીવ્સનો સમાવેશ થાય છે. એ બાબતે કાર્યવાહી કરવામાં અને જનમત જાગ્રત કરવામાં પ્રમુખ નશીદ એકદમ ઉત્સાહી હતા. પોતાના દેશનું નકશા પરથી નામોનિશાન મટી જાય એ લગભગ નક્કી મનાતું હોવાથી દેશના રહેવાસીઓને બીજા દેશોમાં વસાવવા અંગે પણ તેમણે તજવીજ આરંભી હતી અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોને ‘ગ્લોબલ વોર્મંિગને કારણે વિસ્થાપિત માલદીવ્સના નિરાશ્રિતો માટે’ તૈયાર રહેવા જણાવ્યું હતું. ગ્લોબલ વોર્મંિગની માલદીવ્સ પર થનારી ગંભીર અસરો અંગે નાટકીય ઢબે લોકોનું ઘ્યાન દોરવા માટે તેમણે મંત્રીમંડળના સૌને દરિયામાં ડૂબકી મારવા માટેની સાધનસામગ્રીથી સજ્જ બનાવીને, દરિયાની નીચે મંત્રીમંડળની બેઠક યોજી હતી.
પ્રમુખ નશીદના સત્તાત્યાગ પછી બંધારણીય જોગવાઇ પ્રમાણે તેમનું સ્થાન ઉપપ્રમુખ મહંમદ વહીદ હસને લીઘું છે. પરંતુ આ પરિવર્તનને ઘણા લશ્કરી બળવા તરીકે પણ ઓળખાવે છે. તેમને લાગે છે કે આ લોકમતની જીત નહીં, પણ લોકશાહી સામે લશ્કરી અફસરો અને ભૂતપૂર્વ પ્રમુખ ગયુમની સાંઠગાંઠની જીત છે. માલદીવ્સમાં પ્રમુખ ગયુમ સામે ૧૯૮૮માં બળવાનો પ્રયાસ થયો ત્યારે ભારત સરકારે તેને નિષ્ફળ બનાવવામાં સાથ આપ્યો હતો, પરંતુ વર્તમાન ઘટનાક્રમમાં ભારતની કશી ભૂમિકા હોવાનું હજુ સુધી જણાયું નથી. નશીદના રાજીનામા પછી અત્યારે તો માલદીવ્સમાં લોકશાહીની તબિયત નાજુક છે. નવા આવેલા પ્રમુખ વહીદ હસન કેટલી સ્વતંત્રતાથી અને લોકશાહી ઢબે કારોબાર ચલાવે છે તથા સૈન્યની દખલગીરી કેટલી રહે છે એ નક્કી કરવા માટે થોડી રાહ જોવી પડશે. |
|
|
| |
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|