| Last Update : 10-Feb-2012,Friday |
|
|
| |
|
|
|
|
ઉત્તર પ્રદેશના પરિણામો પછી મનમોહનસંિહ સામે ટાર્ગેટ |
- કૌભાંડોનો સિલસિલો પીએમ અટકાવી શકત પણ એ નિષ્ક્રિય રહ્યા
|
ઉત્તર પ્રદેશના ચૂંટણી જંગે ભારતના રાજકારણનું ઘ્યાન ખેંચ્યું છે પરંતુ તેનો અર્થ એવો નથી કે અન્ય રાજકીય મોરચો શાંત છે. ૨-ય્ સ્પેકટ્રમ કૌભાંડની અસર પહોંચી હતી. કોંગ્રેસની મનમોહનસંિહના નેતૃત્વથી નારાજગી દેખાઈ આવે છે. વડાપ્રધાન મનમોહનસંિહે ધાર્યું હોત અને ઢીલું વલણ ના દાખવ્યું હોત તો સાથી પક્ષોએ કૌભાંડોનો સીલસીલો ના ચાલ્યો હોત.
પાંચ રાજ્યોમાં ચૂંટણી જંગ ચાલે છે ત્યારે જ વડાપ્રધાન પદનો મુદ્દો ઉછળ્યો છે. કોંગ્રેસના વર્તુળો જ કહે છે કે પાંચ રાજ્યોના પરિણામો બાદ ખાસ કરીને ઉત્તરપ્રદેશના પરિણામો બાદ રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવાશે.
જો કે બીજી તરફ રાહુલ ગાંધીએ ખુલાસો કર્યો છે કે વડાપ્રધાન પદની રેસમાં તે નથી. તેમ છતાં કોંગીજનો માને છે કે ૨૦૧૪ની લોકસભાનો જંગ જીતવો હશે તો વડાપ્રધાન મનમોહનસંિહને બદલવા પડશે.
કોંગ્રેસે સંસદમાં લોકપાલના મુદ્દે રીટેલ ક્ષેત્રે ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટના મુદ્દે જે રીતે પીછેહઠ કરી છે તેની પાછળ મનમોહનસંિહને જવાબદાર ગણાવાયછે. કોંગીજનો કહે છે કે મનમોહનસંિહ બધી બાજી બગાડી નાખી છે.
એક તરફ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ ચાલે છે ત્યારે યુપીએ સરકાર પોતાના સાથીઓને લઈને કોઈપણ રાજ્યમાં પ્રચાર કરવા જઈ શકે એવી સ્થિતિમાં નથી.
બે મુખ્ય સાથી પક્ષ પૈકી ડીએમકે ભ્રષ્ટાચારથી બદનામ છે તો તૃણમુલ કોંગ્રેસસાથે ઊભા રહેવાને બદલે પોતે જ ગોવામાં કોંગ્રેસ સામે ઉમેદવારો ઊભા રાખ્યા છે. આમ કહેવાય રાજકીય જોડીદાર પણ તેને સાથે પ્રચારમાં ના લઈ જઈ શકાય એવી સ્થિતિ છે. જે દર્શાવે છે કે સાથીપક્ષો સ્વાર્થી સગા જેવા બની ગયા છે.
આ બધા માટે સ્વાભાવિક રીતે જ મનમોહનસંિહ પર દોષનો ટોપલો ઓઢાડાય છે.
વડાપ્રધાન પોતે મમતા બેનરજીને ફોન કરે અને મમતા ફોન પર બે દિવસ પછી આવે એના જેવું બીજું અપમાન બીજું શું હોઈ શકે ?? મમતા બેનરજી તો હવે હસવાના પણ સરકાર પાસેથી પૈસા લે છે, રીસાવાના અલગ પૈસાએમ તેમની દરેક નારાજગી પાછળ પૈસો છુપાયેલો છે. આ પૈસો તે પોતાના માટે નહીં પણ પશ્ચિમ બંગાળમાટે વાપરવા માગે છે. મમતાએ ગોવાની ચૂંટણીઓમાં અચાનક ઝુકાવીને કોંગ્રેસની ઊંઘ હરામ કરી નાખી છે. પશ્ચિમ બંગાળ કોંગ્રેસ ઈચ્છે તો છેડો ફાડી શકે છે એવું જ્યારે મમતા કહે છે ત્યારે યુપીએ સરકારના મોવડીઓ રાત્રે ઊંઘતા નથી.
મમતા બેનરજી વિરોધી વર્તાવ કરશે એની બધાને ખબર હતી પરંતુ મુખ્યપ્રધાન બન્યાના બીજા જ દિવસે તેમનું પ્રોત પ્રકાશ્યું હતું. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસના પ્રચારમાં મમતા બેનરજીને લઈ જવાનો પ્લાન હતો પરંતુ મનમોહન ક્યા મોઢે તેમને આમંત્રે ?? કેમ કે તેમણે તો ગોવાની તમામ ૪૦ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે.
મમતા બેનરજીને પટાવવા અને સમજાવવા કોંગ્રેસે ત્રણ સભ્યોની સમિતિ બનાવી હતી. આ ત્રણેય બિચ્ચારા મમતાની ડેલીએ હાથ દઈને પાછા આવ્યા હતા. હવે સરકાર મમતાને ખુશ કરવા રેલવે બજેટ અને સામાન્ય બજેટનો ઉપયોગ કરશે.
મમતા જેટલા જ પાવરફૂલ માયાવતી છે. માયાવતી કહેતા હતા કે હાથીની ચાલ રાહુલ ગાંધીને સૂવા દેતી નથી, કોણ જાણે કેમ પણ આ નિવેદન પછી જ ચૂંટણી પંચે બહુજન સમાજવાદી પાર્ટીનો સિમ્બોલ હાથીની તેમજ માયાવતીની પ્રતિમાઓને ઢાંકવાનો આદેશ આપ્યો હતો. ઉત્તર પ્રદેશમાં માયાવતીની શક્તિનો ક્યાસ કાઢ્યા વગર જ રાહુલ ગાંધીને સુકાન સોંપવામાં આવ્યું હતું. પરંતુ રાહુલ-માયાવતીની આ લડાઈમાં રાહુલ ઘણાં પાછળ રહ્યા છે. માયાવતી ઉપરાછાપરી ચાલમાં તેમણે ભ્રષ્ટાચાર વિરોધી પગલાં ભર્યા છે. ૧૯ પ્રધાનો ભ્રષ્ટાચારમાં સંડોવણી બદલ કાઢી મૂક્યા છે. માયાવતીએ ઉત્તર પ્રદેશના ચાર ટુકડા કરી ચાર નવા રાજ્યની વાત કરીને કોંગ્રેસને ફીક્સમાં મૂકી દીધી હતી. સામે છેડે કોંગ્રેસે શું કર્યું ?? એક સાથી પક્ષ ઊભો કરી ચૂંટણી જોડાણ કર્યું, અજીતસંિહને કેન્દ્રિય પ્રધાનપદું આપવું પડ્યું હતું.
ચૂંટણી સંહિતા જેટલી માયાવતીને આવડે છે એટલી રાહુલ ગાંધીને નથી આવડતી. માયાવતી બોટમમાંથી ટોપ પર આવ્યા છે. જ્યારે રાહુલને બોટમ શું છે એ જ ખબર નથી. હવે ઉત્તર પ્રદેશના જંગમાં ઉમાભારતી ઉતરી પડ્યા છે. પહેલા દિવસે જ રાહુલ અને ઉમાભારતી વચ્ચેની શાબ્દીક ટપાટપીમાં રાહુલે ઠંડા પડી જવું પડ્યું હતું.
ઉત્તરપ્રદેશમાં મુલાયમસંિહ યાદવ નામના ફેકટરને શરૂઆતમાં કોંગ્રેસ ગણતી નહોતી પરંતુ હવે જ્યારે ઉત્તરપ્રદેશમાં ત્રિશંકુ સરકારની શક્યતા વધી છે ત્યારે ફરી કોંગ્રેસે મુલાયમના પગ પકડી લીધા છે. મુલાયમને ભ્રષ્ટ કહેનારાઓ હવે તેમની સાથે એક થાળીમાં જમવા તૈયાર થઈ ગયા છે. યુપીએ સરકારની પ્રથમ ટર્મમાં જ્યારે ડાબેરી પક્ષોએ ટેકો પાછો ખેંચ્યો ત્યારે યુપીએ સરકાર માટે બહુમતી ઊભી કરવામાં મુલાયમસંિહ- અમરસંિહની જોડીનો સંિહ ફાળો હતો. મુલાયમસંિહનું આ ચૂંટણીમાં ઉજળું સ્થાન દેખાય છે એટલે કોંગ્રેસે સંપર્ક વધાર્યા છે પરંતુ મુલાયમ કોઈ સ્મીત આપતા નથી.
કોંગ્રેસના વર્તુળોની નજર હવે ૨૦૧૪ની લોકસભાના જંગ પર છે. તેની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવાઈ છે. ટાર્ગેટ મનમોહનસંિહ છે. |
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|