| (પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૯
એક પ્રવાસીને વળતર પેટે રૃા. ૧ લાખ આપવા માટે રાષ્ટ્રીય વિમાની કંપની એર ઈન્ડિયાને સ્થાનિક કન્ઝ્યુમર ફોરમે જણાવ્યું છે.એર ઈન્ડિયાના 'ઉદ્ધત' કર્મચારીઓને તેમની 'જડ'સેવાઓ બદલ તેમણે 'પદાર્થ પાઠ'શીખવવા માટે દંડાત્મક નુકસાન માટે વળતર આપવુ જોઈએ.
વિમાની કંપનીના 'ઉદ્ધત' સ્ટાફે 'પદાર્થ પાઠ' શીખવો જોઈએ
ન્યુ દિલ્હી કન્ઝયુમર ડિસપ્યુટ રિડ્રેસલ ફોરમે કહ્યુ હતું કે ફરિયાદી નં. ૧ને ૩૦ દિવસની અંદર રૃા. ૯૫,૦૦૦ અને બાકીના રૃા. ૧૦,૦૦૦ સ્ટાફના સંબંધિત સુપવાઈઝરોના પગારમાંથી કાપીને ૬૦ દિવસમાં એર ઈન્ડિયાએ ચુકવવાના રહેશે.
એક નિવૃત આઈએએસ ઓફિસર પી. કે. અગરવાલ પ્રવાસ કરી રહ્યા હતાં ત્યારે દિલ્હી એરપોર્ટ ખાતે તેમનું બેગેજ ગુમ થયુ હતું.ગત વર્ષે ૧૧મી માર્ચે તેઓ દિલ્હીથી કોલકાતા જઈ રહ્યા હતાં ત્યારે બિનઅનુભવી સ્ટાફની અણઆવડતને કારણે બોર્ડિંગ પાસ મેળવવામાં ૪૦ મિનિટ લાગી હતી.
વળી, કોઈ ટેકનિકલ ખામીને કારણે ફ્લાઈટ પણ પોણો કલાક મોડી થઈ હતી.તેઓ કોલકાતા પહોંચ્યા ત્યારે તેમનો સામાન ગુમ થયો હતો અને તેમને સહાય કરવા માટે અરાઈવલ ડેસ્ક પર એરલાઈનનો કોઈ સ્ટાફ નહોતો. |