Last Update : 27-Jan-2012,Friday
 

પ્રજાસત્તાકની પ્રતીક્ષા

પ્રજાસત્તાક દિન જેવાં લોકશાહી પર્વોમાંથી સમય જતાં લોકનું તત્ત્વ નાબૂદ થતું જાય છે અને તે ‘સરકારી ઉત્સવ’ બની જાય છે. ભારત જેવી લોકશાહીમાં પ્રજાસત્તાક દિન ખરેખર એ યાદ કરવાનો દિવસ હોવો જોઇએ કે સદીઓની ગુલામીમાંથી દેશ આઝાદ થયો ત્યારે તેના સામાન્ય નાગરિકોના મનમાં સ્વ-રાજની કેવી આશાઓ-આકાંક્ષાઓ ઊભી થઇ હતી. દર પ્રજાસત્તાકે અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચેની ઘટનું વાર્ષિક સરવૈયું માંડવામાં આવે, તો ભવિષ્યની દિશા વધારે સ્પષ્ટ બને. ઊણપોમાંથી ઉપલબ્ધિ તરફનો રસ્તો આંકી શકાય અને એ રસ્તે આગળ વધી શકાય.
પરંતુ એવું બનતું નથી. ભારતમાં લોકશાહી કેવળ સરકાર અને રાજકીય પક્ષાપક્ષી પૂરતી સીમિત બનીને રહી ગઇ છે. સઘળું પ્રજાકારણ જાણે રાજકારણમાં સમાઇ જાય છે- અને રાજકારણ પક્ષકારણમાં. ‘પ્રજા’ કહેતાં નાગરિક એ યોજનામાં ક્યાંય સમાતો હોય એવું લાગતું નથી. કારણ કે રાજકીય પક્ષોને પ્રજા નાગરિક બને એમાં નહીં, પણ વોટબેન્ક બને તેમાં રસ છે. રાજકારણ આદર્શ તો ઠીક, કેટલાક મૂળભૂત સિદ્ધાંતોથી એટલું દૂર નીકળી ગયું છે કે વિવિધ રાજકીય પક્ષો વચ્ચે શબ્દાર્થમાં નામનો તફાવત રહ્યો છે. તેમનાં કાર્યો- જેના માટે ‘કરતૂતો’ શબ્દ વધારે યોગ્ય ગણાય- ભાગ્યે જ તેમને એકબીજાથી જુદાં પાડે એવાં છે.
પ્રજાસત્તાક દિનનાં બે અઠવાડિયાં પહેલાંથી જયપુરમાં ભજવાઇ રહેલો ખેલ વાસ્તવિકતાને બરાબર ઉપસાવી આપે છે. એક તરફ સલમાન રશદી જેવા આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતા ભારતીય મૂળના લેખક અને તેમની ‘સેતાનિક વર્સીસ’ જેવી કૃતિ છે. બીજી તરફ એ કૃતિથી દુભાનારા મુસ્લિમોનો વર્ગ છે. બધા મુસ્લિમો એ કૃતિથી દુભાય છે એવું માની લેવાનું કારણ નથી. છતાં ચિત્ર તો એવું જ ઉપસાવવામાં આવે છે. જે મુસ્લિમ નેતાઓ કે સંસ્થાઓ બોલકાં બનીને ‘સેતાનિક વર્સીસ’ અને રશદીનો વિરોધ કરે છે, તેમાંથી કેટલાંએ એ નવલકથા કે રશદીનાં બીજાં લખાણ વાંચ્યાં છે, એની ચોક્કસ માહિતી નથી, પણ એ વિશે ધારણા કરવી અઘરી નથી. મોટા ભાગના લોકોએ વિરોધ પોતપોતાનાં કારણસર હવામાંથી પકડી લીધો છે. તેમાંના કેટલાક ‘રશદી જયપુરના સાહિત્ય સમારંભમાં આવશે તો લોહીયાળ દેખાવો થશે’ એવી ધમકીઓ આપવામાં પોતાના ધર્મની સાર્થકતા જુએ છે અને એ રીતે પોતાના ધર્મને બટ્ટો લગાડે છે.
ત્રીજી તરફ ચેતન ભગત જેવા લેખકો છે, જે પોતે પ્રસિદ્ધિના, ચર્ચાના કે વિવાદના કેન્દ્રમાં રહેવાની એકેય તક ચૂકતા નથી અને નમ્રતાનો ડોળ કરીને, રશદીની મહાનતાને અંજલિ આપ્યા પછી કહે છે કે ‘લોકોની ધાર્મિક લાગણી દુભાવવાનો કોઇને અધિકાર નથી.’ ભગત જેવાઓને બરાબર ખબર હોય છે કે આમ કરવાથી એવો વિવાદ સર્જાશે, જેના કેન્દ્રમાં રશદીની સાથે પોતે પણ ચમકી જશે અને પોતાનાં પુસ્તકો થોડાં વધારે વેચાશે. ‘ધાર્મિક લાગણી’ જેવા અમૂર્ત વિષય અંગે આવું નિવેદન ફટકારી દેતી વખતે એમને યાદ રહેતું નથી કે એક પુસ્તકના આધારે કોઇ લેખકને ભારત આવતાં અટકાવવાનો પણ કોઇને અધિકાર નથી.
ચોથી તરફ રાજસ્થાનની પોલીસ અને સરકાર છે, જે પવન પ્રમાણે સઢ ફેરવ્યે રાખે છે. ઘડીમાં તે કહે છે કે રશદીના આગમનથી ઊભી થનારી કાયદો-વ્યવસ્થાની ગંભીર સ્થિતિ અંગે તેમને માહિતી આપવી જરૂરી છે. સાથોસાથ, મુખ્ય મંત્રી એમ પણ કહે છે કે રશદી આવે તો તેમની સલામતીની બધી વ્યવસ્થા પૂરી પાડવાની અમારી તૈયારી હતી. ત્યાર પહેલાં ગુપ્તચર અહેવાલો ટાંકીને રશદીની હત્યા માટે મુંબઇના ડોને સોપારી આપી હોવાની બાતમી રશદીને પહોંચતી કરી દેવાય છે.
- અને પાંચમી તરફ ભારત સરકાર છે, જેણે ‘સેતાનિક વર્સીસ’ પરનો પ્રતિબંધ હજુ ચાલુ રાખ્યો છે. ઉત્તર પ્રદેશમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં ‘નવી નેતાગીરી’ના નામે, રાહુલ ગાંધી ફરી એક વાર જ્ઞાતિવાદ-પેટાજ્ઞાતિવાદને શરણે ગયા છે અને ત્યાંના મુસ્લિમ મત અંકે કરવા માટે કોંગ્રેસ નક્કર મુસ્લિમલક્ષી કામ કરવાને બદલે રશદી સામેની ગુંડાગીરી ચાલવા દઇને પોતાની મતબેંક પાછી મેળવવા પ્રયાસ કરે છે. રશદીની સદેહે હાજરી તો સમજ્યા, તેમની ઇન્ટરનેટ-ઉપસ્થિતિ પણ સાંખી લેવા માટે લોકો તૈયાર નથી અને આ બઘું પ્રજાસત્તાક દિવસના આગલા અઠવાડિયે થાય છે.
જયપુર સાહિત્ય સમારંભ નિમિત્તે થયેલા કરૂણ ફારસથી પ્રજાસત્તાકની પોકળતા વઘુ એક વાર છતી થઇ છે. લોકપાલ આંદોલન પછી રશદીના મુદ્દે ફરી એક વાર બધા રાજકીય પક્ષોના માટીના પગ ઉઘાડા પડી ગયા છે. તેમને સવાલ ઊભા કરતા અને જવાબ માગતા નાગરિકોની વઘુ ને વઘુ સામેલગીરી ધરાવતું પ્રજાસત્તાક નહીં, પણ નાગરિકો જ્યાં જ્ઞાતિ-પેટાજ્ઞાતિ-ધર્મના વાડામાં વહેંચાયેલી વોટબેન્ક બની રહે એવું મતસત્તાક ભારત ખપે છે. એમની ચાલબાજીથી ન છેતરાવું, એ પ્રજાસત્તાક રાજ્ય ઝંખતા સૌ નાગરિકોની ફરજ ગણો તો ફરજ ને જરૂરિયાત ગણો તો જરૂરિયાત છે.
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દાયકાનું સૌથી મોટું ગણાતું સૌર તોફાન પૃથ્વી પર ત્રાટક્યું
અમેરિકન કમાન્ડોએ સોમાલીયન ચાંચીયા પર ત્રાટકીને મહિલાને છોડાવી
પુતિનના વિરોધીઓને અમેરિકી રાજદૂત મળતા રશિયાના સાંસદો નારાજ
અમેરિકાની આઉટસોર્સીંગ વિરોધી નીતિઓથી ભારતીય કંપનીઓને અસર થશે
લશ્કર સાથેના વિવાદને ઠંડો પાડવા પાક વડાપ્રધાનના પ્રયાસો
જાન્યુઆરી વલણનો તેજીએ એંત ઃ અઢી મહિના બાદ સેન્સેક્ષે ૧૭૦૦૦ સપાટી કુદાવી ઃ FII ધૂમ લેવાલ
વર્ષ ૨૦૧૧માં પાવર સેક્ટરમાં ૧૭૪ બિલિયન ડોલરના મર્જર અને એક્વિધિશન ઃપીડબ્લ્યુસી
સમસ્યાની ચર્ચા અર્થે સરકાર કંપની જગતના અગ્રણી જોડે બેઠક યોજશે
ટૂંકા સમયના આંકડાઓ વધારે વિશ્વસનીય નહીં હોવાની લાગણી
લાર્સન અને વિડિયોકોન રિયલ્ટીને એસઈઝેડ પ્રોજેક્ટ પાછો ખેંચવા માટે સરકારની મંજૂરી
સલમાન ખાન અને કરીના કપૂર સાથે કામ કરવાની મનોજકુમારની ઇચ્છા
અનુષ્કા શર્મા સાથેની પ્રેમની અફવાનો આક્રોશ શાહિદ કપૂરે ટ્વિટર પર વ્યક્ત કર્યો
ત્રણ અઠવાડિયાની તાલીમ લીધાં પછી જ વિદ્યાબાલન તેનું પ્રથમ આઈટમ ગીત કરશે
મૂળ 'કાંચા ચીના' પોતાની ફિલ્મ જુએ એવો સંજય દત્તનો આગ્રહ
'બેવફા' બાદ 'હીરોઈન'માં કરીનાને લતા મંગેશકરનો કંઠ મળશે
આખરી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ૬૦૪ રનના સ્કોર સામે ભારત મુશ્કેલીમાંં
આજથી યુરોપિયન ટુર ચેલેન્જ ગોલ્ફ ટુર્નામેન્ટનો પ્રારંભ
સાનિયા અને ભુપતિની જોડી મિક્સ ડબલ્સની સેમિ ફાઇનલમાં પ્રવેશી
યોકોવિચે ફેરરને હરાવ્યોઃસેમિ ફાઇનલમાં મરે સામે મુકાબલોઆજે નડાલ-ફેડરર વચ્ચે ડ્રીમ સેમિ ફાઇનલ
ઈગ્લેન્ડ સામે પાકિસ્તાનના ૭ વિકેટે ૨૫૬
માથાફરેલા ડ્રાઈવરે એસ.ટી. બસ બેફામ દોડાવીને નવને મારી નાખ્યા, ૨૭ ઘાયલ
શહેરમાં ૩૯ ટકા સિમકાર્ડ બનાવટી દસ્તાવેજોને આધારે અપાયા છે ઃ પોલીસ
ખાનાખરાબી માટે ઈન્ડિયન મુજાહિદ્દીને દરભંગામાં ૩૬ યુવકોની ભરતી કરી
ધારાવી સહિતની ઝૂંપડપટ્ટીઓમાં ઝડપથી ફેલાતી ટીબીની બીમારી
ભ્રષ્ટાચાર સામેની સહનશક્તિની હદ આવે ત્યારે એક જ વિકલ્પ તમાચો ઃ અણ્ણા
ભયાવહ ભૂકંપનું બારમું ઃ મોતનો ઘા ભૂલાવીને બેઠા થયા કચ્છ-સૌરાષ્ટ્ર
ભચાઉમાં ૩.૫ અને તાલાલામાં ૨.૫ની તીવ્રતા સાથે ધરતીકંપ
પૂરમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ સુરતના ફાયર જવાનોને રાષ્ટ્રપતિ મેડલ
'હું સિંઘમ છું' કહી નશામાં ચૂર PSI એ ટોળા સામે રિવોલ્વર તાકી
રેથલના મૃતક દલિત યુવકની લાશ સાણંદ પોલીસ સ્ટેશને લવાઇ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

હોંગકોંગ એરપોર્ટના ઘુમ્મસ સામે ગુજરાતી ટેક ઓફ
ફેસબુક પર ફાંકા સિક્યુરીટીમાં બાંખા
સ્કૂલ શિક્ષણની એસેસરીઝ બદલાઈ ગઈ છે
બાળકનો ઉત્સાહ વધારી તેનો ડર ઘટાડતાં રહો
કુમળા શિશુની સંભાળ કેમ લેશો?
પાણીદાર તરબૂચના ફાયદા
શું તમે અંડર એસ્ટિમેશનના શિકાર છો?
ફેસ સીરમ શું છે અને તેને કેવી રીતે વાપરશો?
  More Stories
 

વર્ષ-2012ના એવોર્ડઝ, જુઓ Latest Updates...

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

ભારતનો ૬૩મો પ્રજાસત્તાક દિવસ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved