Last Update : 25-Jan-2012,Wednesday
 

છેલ્લાં ત્રીસ વર્ષમાં ધર્મનો રાજકીય પરિબળ તરીકેનો ઉદ્‌ભવ માનવજાતને ખતમ કરી શકે તેમ છે

નવું વાચન નવા વિચાર - ધવલ મહેતા

 

 


સ્ત્રોત (૧) બીયોન્ડ ધ હોક્ષ ઃ એલન સોકાલ (ઓકસફર્ડ યુનિવર્સિટી પ્રેસ, ૨૦૦૮)
(૨) ધ એન્ડ ઓફ ફેઇથ, રીલીજીયન, ટેરર, એન્ડ ધ ફયુચર ઓફ રીઝન ઃ સામ હેરીસ (ન્યુયોર્ક, ડબલ્યુ, ડબલ્યુ નોરેન ૨૦૦૪)
(૩) આજના યુગની ધર્મ ભાવના ઃ વિનોબા ભાવે (યજ્ઞ પ્રકાશન, વડોદરા ૨૦૧૧)
રાજકારણમાં ધર્મ સત્તા ઃ- ધર્મ એક રાજકીય પરિબળ તરીકે જગતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ઊભરી રહ્યો છે. તે જગત માટે વિનાશક સાબિત થઇ શકે તેમ છે. અમેરિકા, ભારત અને મોટા ભાગના મુસ્લિમ દેશોમાં તેમ બની રહ્યું છે. દુનિયાના દરેક ધર્મની મર્યાદા એ છે કે તેના અનુયાયીઓ એમ માને છે કે તે દુનિયાનો શ્રેષ્ઠ ધર્મ છે, તેઓ જે માન્યતાઓ ધરાવે છે તે જ આખરી સત્ય છે અને ઈશ્વર પર તેમનો એકલાનો અધિકાર છે. તેમના મતે જે ગીતામાં, વેદોમાં, બાઇબલમાં, કુરાનમાં કે અવેસ્તામા કે ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં કે અન્ય ધર્મગ્રંથોમાં લખ્યું છે તે ભગવાનો કે ભગવાનના પયગમ્બરનો સંદેશો છે. દરેક ધર્મ જયારે એમ માને કે સત્ય માત્ર તેની પાસે છે અને અન્ય ધર્મો પાસે સત્ય નથી કે અર્ધસત્ય છે તેમાંથી સંઘર્ષ થાય જ. આમ અસહિષ્ણુતા દરેક ધર્મમાં ઇન-બીલ્ટ છે. વળી જુદા જુદા ધર્મના અનુયાયીઓ પાસે (કે તેમની સરકારો પાસે) જગતનો નાશ કરે તેવા અણુ શસ્ત્રો આવી ગયા છે એટલે ધર્મની બાબત માનવજાત માટે ગંભીર બની ગઈ છે. ધર્મમાં શ્રઘ્ધા રાખવી એ અનિવાર્ય છે અને આ શ્રઘ્ધા માટે કોઇ સાબિતિની જરૂર નથી. ધાર્મિક શ્રઘ્ધાને સૌ કોઈએ સ્વીકારવી અને તેને પડકાર ના ફેંકવો આ માન્યતા જગતમાં હંિસા ફેલાવે છે- અલબત્ત જગતમાં હંિસા અને સંઘર્ષ માટે ધર્મ સિવાયના (દા.ત. આર્થિક) અનેક કારણો પણ છે પરંતુ તેની અહીં ચર્ચા કરી નથી.
મોડરેટ ધાર્મિકો પણ ભયજનક ઃ- સામ હેરીસ તેમના ‘્‌રી ઈહગર્ ંક ખચૈાર’ નામના પુસ્તકમાં કહે છે કે આજના જગતમાં ધાર્મિક ઝનૂનીઓ ઉપરાંત ધર્મમાં માનનારા બીનઝનૂની અને સહિષ્ણુ ગણાતા ધાર્મિકો પણ વિનાશક ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ આત્યંતિક નથી પરંતુ તેમણે ધાર્મિક શ્રઘ્ધાને માન્યતા (લેજીટીમસી) આપીને એવી આબોહવા ઉભી કરી છે જેથી ધાર્મિક હંિસા અને ધાર્મિક પુસ્તકના લખાણો સામે લડવાનું મુશ્કેલ બની ગયું છે.
ધાર્મિક માન્યતા ભ્રમણાજનક ઃ- વિશાળ બહુમતી ધરાવતા ધાર્મિક ઉદારમતવાદીઓ પોતે (અંધ) શ્રઘ્ધાયુકત હોવાથી આતંકવાદીઓને પડકારી શકતા નથી.
જગતના તમામ ધાર્મિકો એમ માને છે કે આ સૃષ્ટિના સર્જક તેમની પ્રાર્થના સાંભળે છે અને તેનો લાભદાયક પ્રતિભાવ પણ આપે છે.
આ માન્યતા જો જગતના કરોડો લોકો ધરાવતા ના હોત તો તે માન્યતા પાગલપણાનો કે ભ્રમણાનો એક પ્રકાર ગણાત. પરંતુ કરોડો લોકો પૂજા અને પ્રાર્થનામાં શ્રઘ્ધા ધરાવતા હોવાથી તેને સાચી માનવામાં આવે છે. એકલદોકલ માનવી આવી માન્યતાઓ ધરાવતો હોય (પૃથ્વી શેષનાગ પર ઊભી છે) તો કદાચ પાગલ ગણાય. ધાર્મિક માન્યતાઓને ચકાસી શકાતી નથી. તે પુરાવા આધારિત હોતી નથી તે તેની એક મોટી મર્યાદા છે. ન્યુટનનો ગુરૂત્વાકર્ષણનો સિઘ્ધાંત કે આઇનસ્ટાઇનની થીયરી ઓફ રીલેટીવીટી તેની સાબિતિને આધારે સાચી મનાય છે. કોઇ સાઘુ સંતના કથનને આધારે નહીં.
આજનો યુગ ધર્મ ઃ- વિનોબાજી આજના યુગની ધર્મભાવના નામની પુસ્તિકામાં કોઇપણ પુરાવા વિના, માત્ર (અંધ) શ્રઘ્ધાને આધારે નીચેના વિધાનો કરે છે. તેમના શબ્દોમાં ‘બાકી દરેક જણ આત્માની અનુભૂતિ તો કરી જ શકે છે અને આત્મા કરતા વધારે મારી ઈશ્વરની નિશાની આપણે માટે હોઈ ન શકે. આપણા દેહમાં દેહથી ભિન્ન અને સાક્ષીરૂપે આત્મા છે તેના પરથી સૃષ્ટિમાં પરમાત્મા છે તે સિઘ્ધ થશે. પંિડ અને બ્રહ્માંડની એકતાનો અનુભવ આપણે ડગલે ને પગલે કરીએ છીએ. જે પંિડયા છે તે બ્રહ્માંડમાં છે. ‘યથા પંિડે તથા બ્રહ્માંડે’. અહીં મારી પાસે આંખ છે તો સૃષ્ટિમાં સૂર્ય છે મારામાં પ્રાણ છે તો સૃષ્ટિમાં વાયુ છે આ રીતે બંિબરૂપ બ્રહ્માંડમાં જે તત્વ છે તેના પ્રતિબીંબરૂપ શરીરમાં અને પીંડમાં છે. પંિડમાં આત્મતત્વ છે તે પ્રતિબંિબરૂપ સૃષ્ટિમાં ય કોઇ તત્વ હોવું જોઈએ અને તેને પરમ તત્વ કહે છે.
વિજ્ઞાન અને લોજીકની દ્રષ્ટિએ ઉપરનું દરેક વિધાન જો બહુ જ ઉદારતા દાખવીએ તો તેને સ્પેકયુલેટીવ ગણી શકાય. ‘મારામાં જે ચેતના છે તેવી જ બ્રહ્માંડમાં ચેતના છે જેને ઇશ્વર કહેવાય’ આવા વિધાનની વિશ્વસનીયતા (ક્રેડીબીલીટી) લગભગ શૂન્ય ગણાય. ગંભીર ફીલોસોફીકલ ચર્ચામાં લીજીવીસ્ટીક (ભાષાકીય) યુકતિઓ ના ચાલે. આત્મા કરતા વધારે સારી ઇશ્વરની નિશાની આપણે માટે હોઇ ના શકે તે વિધાન શ્રઘ્ધાજન્ય છે. પરંતુ તેની અનુભવજન્ય (એમ્પીરીકલ) સાબીતી નથી. જે વિધાનમાં આઘ્યાત્મિક શબ્દ હોય અને આવો એક શબ્દ પણ હોય જેનો અર્થ સ્પષ્ટ ના હોય, સંદેહાત્મક હોય તો તે વિધાનને મીનીંગલેસ ગણવું તેમ વીસમી સદીના મહાન ફીલોસોફર વીરજનસ્ટાઇને કર્યું છે તે ઉપરના શ્રાઘ્ધાજન્ય વિધાનોને પણ લાગુ પડે છે. આવા વિધાનો પર માનવ સમાજની નૈતિક (એથીકલ) સીસ્ટમ ઊભી ના કરાય.
નૈતિકતાના ઘડતરમાં ધર્મ ના ચાલે ઃ-
ધર્મને આધારે જે રીલીજીઅલ એથીકસ ઉભુ થયું તેણે માનવજાતનું (ખાસ કરીને સ્ત્રીઓનું અને દલીતોનું અને મૂળ નિવાસીઓનું) દમન કર્યું છે આને બદલે સીકયુલર એથીકલ ફ્રેંચ ક્રાંતિના મૂલ્યો - લીર્બટી, ઇકવોલીટી અને ફ્રેટર્નીટી પર ઉભુ થયું છે. તેનો હજી પૂર્ણ પણે સમય થયો નથી પરંતુ પશ્ચિમ જગતમાં ઉદારમતવાદી, સમાજવાદી અને માર્કીસ્ટ વિચારસરણીઓ પાછળ ફ્રેંચ ક્રાંતિ તથા અમેરિકન ક્રાંતિના મૂલ્યો હતા. તેમાં મનુષ્ય જાતિવાદ કે વૈદિક બ્રાહ્મણીઝમ ન હતું કે તેમાં ઇસ્લામીક શહીખાના નિયમો પણ સામેલ કરવામાં આવ્યા ન હતા. આ નવા વાદો સીકયુલર એથીકલની દિશાના પગલા છે - ભલે તેમાં બહુ મોટી સફળતા મળી નથી પણ દિશા સાચી છે. ધાર્મિક માન્યતાઓનો એપીસ્ટેમીક એટલે કે જ્ઞાનને લગતો પાયો નબળો હોવાથી અજ્ઞાનને આધારે નૈતિકતા ના ઘડી શકાય પણ વિજ્ઞાનને આધારે ઘડી શકાય.
અહીં એક બાબત યાદ રાખવી જરૂરી છે. વિનોબા સહિત ભારતના અને જગતમાં મોટાભાગના ધાર્મિક ચંિતકો એમ માને છે કે નૈતિકતાનો આધાર ધર્મ છે. ધર્મને કારણે માણસ ખરાબ કૃત્યો કરતો અટકે છે. હંિસાને ત્યાગે છે અને અન્ય વ્યકિતઓને મદદ કરે છે. પરંતુ એકબીજાને મદદ કરવી, કુટુંબ ઉભુ કરવું અને સંતાનોને ઉછેરવા, મિત્રોની સહાય લેવી અને તેમને સહાય કરવી. ભાઈભાંડુઓને પ્રેમ કરવો, પરોપકાર વગેરે માનવતા જેનેટીક વારસામાં પ્રોગ્રામ્ડ છે. તે વિના માનવજાત ટકી શકી જ ન હોત. દા.ત. ભ્રાતૃભાવના વિના માણસ ગુ્રપ્સ જ ઉભા ના કરી શકે અને ગુ્રપ્સ કે જૂથો ઊભા કર્યા વિના માનવજાત નાશ પામત. ટૂંકમાં એકબીજાને મદદ કરવી, પ્રેમ દાખવવો, દુઃખી લોકો માટેની અનુકંપા અને સહાનુભૂતિ તે કોઇ ધર્મનો ઇજારો નથી. ધર્મ તો બહુ પાછળથી આવ્યો. તે પહેલા ઉપરના ગુણોને કારણે જ માનવજાત ટકી રહી. આવી નૈતિકતાના પાયામાં ધર્મ ના રહે તો પૃથ્વી કે માનવ સમાજ રસાતાળ થઇ જશે તેમ માનવાની જરૂર નથી. ઉલટાની માનવજાત જેના પરોપકારવૃત્તિ અને પરસ્પર સહાય પ્રોગ્રામ્ડ છે તે સીકયુલર સમાજમાં વઘુ સુખી થાય તેવો સંભવ છે. નજીકના ભૂતકાળમાં ધર્મ સંસ્થાએ લોકોને ત્રાસ આપનારા આતતાયી રાજયકર્તાઓમાંથી ઉગાર્યા પણ છે. પોલૅન્ડમાં સામ્યવાદના લોખંડી શાસન સામે ત્યાંના કેથોલીક ચર્ચે અવાજ ઉપાડયો હતો. દુષ્ટ અમેરિકાએ ઇરાનના ત્રાસવાદી શાહને ગાદી પર બેસાડી દીધો હતો તેને દૂર કરવા હોમીની અને તેની મુસ્લિમ સંસ્થાઓએ મદદ કરી હતી.
સામાન્ય રીતે ધર્મ અને ધાર્મિક સંસ્થાઓ સમાજમાં જે હિતધારકો છે અને શોષણકર્તા છે તેમને જ બહુધા સપોર્ટ કરતી હોય છે.
ઇસ્લામ સામે પડકાર ફેંકયો છે અને તેના જવાબ રૂપે જગતના મુસ્લિમોના એક નાનકડા વર્ગે જેહાદનો મંત્ર ફૂંકયો છે. અહીં એ યાદ રાખવું જોઈએ કે ઇસ્લામમાં માનનારો અતિ વિશાળ વર્ગ ‘મોડરેટ’ એટલે કે ઉદારમતવાદી છે. બહુ જ નાનો વર્ગ કે નાના નાના જૂથો જ આતંકવાદી છે અને તેઓ જગતને ભયમાં મુકી રહ્યા છે. વળી જેમ હિન્દુ ધર્મનો માનવજાતના ઇતિહાસમાં મોટો ફાળો છે (વિજ્ઞાન કળા, આર્કીટેકચર, સંગીત વગેરેમાં) તેવો જ ઇસ્લામીક જગતનો ફાળો છે. પરંતુ ઇસ્લામ અને ખ્રીસ્તી ધર્મ પોતાના પ્રસાર (એકપાન્સ)માં માને છે તે ભૂલવું ના જોઈએ. વળી પાકિસ્તાન અને સાઉદી અરેબીયામાં જે લોકો ઇસ્લામની નીંદા કરે તેને માટે મોતની સજા છે અને બંને ધર્મો પોતાના પુસ્તકોને ભગવાનનો અવાજ ગણે છે. હિન્દુ ધર્મમાં કોઇ એક સ્ટેન્ડર્ડ સર્વ માન્ય ધાર્મિક ગ્રંથ નહીં હોવાથી હિન્દુ ધર્મ વધારે ફલેકસીબલ રહ્યો છે.
ભાષા ચાતુરી ઃ દરેકના હૃદયમાં ભગવાન
ઉપર્યુકત પુસ્તકમાં વિનોબા લખે છે, ‘હું કહીશ કે આ જ છે આજના યુગનો ધર્મ સંદેશ. હવે એવું નહીં ચાલે કે આપણે ભગવાનને મંદિરમાં પૂરી રાખીએ અને બાકીની આખી દુનિયાને ઇશ્વર શૂન્ય સમજીએ. આપણે તો હવે એવું કરવાનું છે કે દરેક દરેક મનુષ્યના હૃદયમાં જે ભગવાન છે તેની ઉપાસના કરવાની છે અને ગામ આખાને મંદિર બનાવવાનું છે’ આ કટાર લેખકને દરેકે દરેક મનુષ્યના હૃદયમાં ઈશ્વર દેખાતો નથી. તેમાં તો દરેક દરેક મનુષ્યના હૃદયમાં ઇશ્વર હોય કે ના હોય પરંતુ તેમને તો શિક્ષણ, રોજગાર, આરોગ્ય અને સુખસગવડવાળું દીર્ધ જીવન મળે તેની ખેવના છે. તે માટે વિજ્ઞાન અને ટેકનોલોજી જોઈએ. તેમને મન ફ્રેંચ ક્રાંતિના આર્દશો (લીબર્ટી, કિવોલીટી, ફ્રીટર્નીટી) ધાર્મિક આદર્શો કરતા વઘુ મહત્વના લાગે છે. તેથી તેઓ ઇશ્વરશૂન્ય સૃષ્ટિને ઇશ્વરથી ભરી દેવા માંગતા નથી. કોઇપણ સીકયુલર વિચારધારામાં ઇશ્વર કે ધર્મ કે સંપ્રદાયનો પ્રવેશ થાય તો તેનાથી અનિષ્ઠ થયા વિના રહેતું નથી. રાજકારણમાં કે વિચારસરણીમાં ધર્મ બીલકુલ ના જોઈએ તેવું આ કટાર લેખક માને છે. વળી ધાર્મિક ઉદારમતવાદીઓ પણ સર્વધર્મ સહિષ્ણુતાના નામે શ્રઘ્ધાજન્ય માન્યતા ધરાવીને આતંકવાદ માટે અનુકૂળ આબોહવા ઊભી કરે છે.
ઉપસંહાર ઃ
કોઇની પણ ધાર્મિક લાગણી દુભાવ્યા વિના અને કોઇપણ ધર્મની પ્રત્યક્ષ ટીકા કર્યા વિના એવું પ્રતિપાદન કરવાનો પ્રયત્ન આ લેખમાં થયો છે કે રાજકારણમાં ધર્મના પ્રવેશે ધીમે ધીમે આતંકવાદને જન્મ આપ્યો છે. આતંકવાદીઓના હાથમાં અણુ શસ્ત્રો આવી જાય તો તેમના ધાર્મિક ઝનૂનને કારણે તેઓ પૃથ્વીનો નાશ કરી શકે તેમ છે. વળી ધાર્મિક વિધાનોને શ્રઘ્ધાપૂર્વક સાચા માની લેવાને બદલે તેના પુરાવા છે કે નહીં તેનો આગ્રહ રાખવો જોઈએ. તેને પડકારો. જે વિધાનો અટકળવાળા હોય તેના પર શાણો સમાજ નૈતિક સીસ્ટમ રચી શકે નહીં. વળી વિનોબાની જેમ એવું ના માનવું કે માનવીની નૈતિકતાનો પાયો ધર્મ છે. તે જેનેટીક છે. ઊલટાનું સીકયુલર પાયા પર રચાયેલી નૈતિકતા લોકો માટે વઘુ કલ્યાણકારી હોવાનો સંભવ છે. તે માટે ઇશ્વર અને ધર્મ ઇરેલેવન્ટ છે.

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

ફેસબુકનો અજાણ્યો ફેસ અંગત આશિક પણ...
સેલેબ્સની પ્લાસ્ટિક સ્માઈલ પર આફરીન અમદાવાદીઓ
બચ્ચનની ખુશ્બુનો જાદુ લોથલમાં કેમ નહીં?
યુદ્ધ કેદીઓ માટે લડતો સાયકલવીર
પરીક્ષાની તૈયારીમાં આવી ભૂલો ન કરો
શરદીમાં ખૂબ ખાઓ, તાવમાં નહીં...
યુવાઓને પસંદ છે બોડી પેઈન્ટંિગ
ફેસ સીરમ શું છે અને તેને કેવી રીતે વાપરશો?
  More Stories
 
 

વર્ષ-2012ના એવોર્ડઝ, જુઓ Latetst Updates...

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

શાકોત્સવ @ સાળંગપુર હનુમાન

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved