| |
ભાવનગર, સોમવાર
બોટાદમાં ૬૩માં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાના અનાવરણ સહિતના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહેસુલ મંત્રી તથા ઉર્જા મંત્રી સૌરભ દલાલ સહિતના આગેવાનો પદાધિકારીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદમાં મહેસુલમંત્રીના હસ્તે રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાનું અનાવરણ
ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકામાં ૬૩માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાનું અનાવરણ, બેટી બચાવો રેલી આતશબાજી તેમજ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. બોટાદ શહેરની સરકારી હાઇસ્કુલની વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીમાં સ્વૈચ્છિક જન સમુદાય, સ્વૈચ્છિક સંસ્થાઓ સ્વયંભુ જોડાઇ હતી.
આ પ્રસંગે મહેસુલ મંત્રી આનંદીબેન પટેલે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાનું અનાવરણ કર્યુ હતું. તેમજ મેઘાણીના પૌત્ર પિનાકીન મેઘાણીએ મેઘાણી લેખિત પુસ્તકો ભેટ આપ્યા હતા. ૬ હજારથી વધુ જનમેદની સાથે જોડાયેલ બેટી બચાવો રેલીનું સમાપન શહેરની એમ.ડી. હાઇસ્કુલ ખાતે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહેસુલ મંત્રીએ જણાવ્યું હતું કે, ૨૧મી સદીએ જ્ઞાાનની સદી છે. ટેકનોલોજીની સદી છે. ગુજરાતનો યુવાન જ્ઞાાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરી રોજગારી મેળવતો થાય તે માટે મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વિવિધ વિશ્વ વિદ્યાલયોની સ્થાપના કરી છે. ગેસ આધારીત ઉદ્યોગો માટે પેટ્રોલિયમ યુનિવર્સિટી, દેશની રક્ષા માટે રક્ષાશક્તિ યુનિવર્સિટી, ગુન્હાખોરી શોધવા માટે ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી કૃષિ ક્ષેત્રે તજજ્ઞાતા પ્રાપ્ત થાય તે માટે કામધેનુ યુનિવર્સિટી બાળકના સર્વાગી વિકાસ માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી, ઉત્તમ શિક્ષકો શિક્ષણ આપે તે માટે રિસર્ચ યુનિવર્સિટી, વૈદિક શાસ્ત્ર અને શ્લોકોમાં પારંગત થવા માટે સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના કરાઇ છે.
ગુજરાતના ૧૬૦૦ કિ.મી. દરિયા કિનારાનો ઉપયોગ રોજગારી ક્ષેત્રે કરી શકીએ તે માટે પ્રોઢ મેનેજમેન્ટ અભ્યાસ શરૃ કરાવ્યો છે. મહેસુલ મંત્રીએ જણાવ્યું હતું કે, ૨૦૦૧ની વસ્તી ગણતરી પ્રમાણે મહિલાઓમાં સાક્ષરતા દર ૫૯ ટકા હતો, જે હવે વધ્યો છે. ૨૦૦૧માં ૧૦૦૦ છોકરાઓ સામે ૮૨૭ દિકરી હતી. જે બતાવે છે કે ભૂતકાળની સરકારોમાં સમાજે તેના પર વિશેષ ધ્યાન આપ્યું નથી. જાગૃત અને શિક્ષીત સમાજમાં જ દિકરીઓ ઓછા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
ભૃણ હત્યા માટે માત્ર માતા પિતા જ નહીં પણ ડોક્ટરો પણ પોતાની નૈતિક ફરજ ભૂલી ગયા છે. ભૃણ હત્યાએ સમાજનું કલંક છે. સમાજમાં જાગૃતિ નહીં આવે ત્યાં સુધી આ કલંક મિટાવી શકીશું નહીં. આ માટે સૌનો સાથ અને સૌનો વિકાસ જરૃરી છે. દિકરીને ગર્ભમાં જ મારી નાખતા તેની શક્તિઓ અને કૌશલ્યને આપણે મારી રહ્યા છીએ. આવી ભૃણ હત્યા દ્વારા આપણે દિકરીઓની નહી, પરંતુ માતાનું અસ્તિત્વ મીટાવી રહ્યા છીએ, તેમ મહેસુલમંત્રીએ જણાવ્યું હતું. |