આપણે હાલ સુધી એવું સાભળ્યું છે કે ચાલવાથી, કૂદવાથી, ખાવાથી કે સંગીત સાંભળવાથી રોગમાંથી મુક્તિ મળે છે. સાથે ક્યાંક એવું પણ સાંભળ્યું છે કે મેડિટેશન, ઘ્યાન અને પ્રાણાયામ પણ ઘણા મોટા રોગોમાંથી મુક્તિ અપાવે છે. પરંતુ હવે અહીં એક નવી વાત રજૂ કરાઈ છે. આ વાત એવી છે કે જો તમે શંખ વગાડશો તો તેમાં મારવામાં આવતી ફૂંકના કારણે શરીરને અનેક મોટા રોગોમાંથી રાહત મળે છે. આ રોગોમાં ઉધરસ, દમ કમળો, બ્લ્ડપ્રેશરની સાથે દિલને લગતી તકલીફોમાંથી રાહત મળે છે. મંદિરમાં અને કેટલાક ખાસ પ્રંસગોએ શંખનાદ કરવામાં આવે છે. આ માટેનું એક ખાસ કારણ એ છે કે જ્યારે શંખનાદ કરવામાં આવે છે ત્યારે વ્યક્તિની આસપાસની નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે અને તેનામાં એક પ્રકારની સકારાત્મક ઉર્જા ફેલાઈ જાય છે. એક એવી માન્યતા પણ છે કે શંખનાદના કારણે જે ઘ્યનિ ઉત્પન્ન થાય છે તે જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધીની તમામ જગ્યાએથી બીમારીઓ અને કીટાણુઓનો નાશ થાય છે.
શંખની સકારાત્મક ઉર્જાથી વ્યક્તિનું આત્મબળ સતત વધતું રહે છે. શંખમાં પ્રાકૃતિક કેલ્શિયમ, ગંધક અને ફોસ્ફરસ પૂરતા પ્રમાણમાં હોય છે. જે લોકો રોજ શંખ વગાડે છે તેઓને ગળા અને ફેફસાંને લગતા રોગોથી રાહત મળે છે. કારમ કે તેને વગાડવા માટે જે રીતે હવાને ફૂંકવામાં આવે છે તે ફેફસાંને તંદુરસ્ત રાખે છે. તેને વગાડવા માટે મોઢાનો ઉપયોગ કરાતો હોવાના કારણે મોઢાને લગતી સામાન્ય તકલીફો દૂર થાય છે. તેનાથી શ્વસનતંત્ર,શ્રવણતંત્રને વ્યાયામ મળે છે. શંખ વગાડવાથી માનવીની સ્મરણ શક્તિમાં પણ વધારો થતો હોય તેવું જોવા મળે છે. શંખનાદ કરવાથી સંપૂર્ણ ચહેરા, મગજ અને શ્વસતંત્રની એક સહજ કસરત થઈ જાય છે અને અનેક રોગથી મુક્તિ મળે છે. તેની સકારાત્મક ઉર્જા વ્યક્તિના મનને શાંત અને સ્વસ્થ રાખવામાં મદદ કરનારી હોય છે.
|