Last Update : 21-Nov-2011, Monday
 

ઇલ્કાબ એક દાવો કરનાર અનેક !

- ‘ભારત રત્ન’ ઇલકાબના દાવેદાર કોણ કોણ ? છેલ્લે બાળઠાકરેએ અમિતાભનું નામ ઉમેર્યું !
- ‘ભારત રત્ન’નું સન્માન આપવા માટે તેંદુલકરનું નામ આપનાર વર્ષોથી છે તો વળી અણ્ણા હજારેનું નામ પણ હમણાંથી લેનારા છે... અટલવિહારીનું તથા લાલુ, મુલાયમ, કાંશીરામ જેવા બીજા ૧૦૦ જેટલા લાઇનમાં ઊભા છે
- ‘‘ભારત રત્ન’’ના ખિતાબ માટે શું રાજકારણ ખેલાય રહ્યું છે ? ત્રણ વર્ષથી ‘ભારત રત્ન’ કોઇ બન્યુંજ નથી

એક બાજુ મોંઘવારી, ભ્રષ્ટાચાર, કોંગ્રેસને હરાવવાની ગોઠવણ, સુપ્રિમ કોર્ટના ચુકાદા, રથયાત્રાઓ, સંસદનું ભાવિ અધિવેશન, જેવા મુદ્દાઓ ચર્ચામાં હોય છે એમાં અવારનવાર ભારત રત્નનો ખિતાબ પણ ચર્ચામાં આવી જાય છે.
આપણા દેશ ભારતનો સર્વોચ્ચ સન્માનપાત્ર ખિતાબ એટલે ‘ભારત રત્ન.’ બીજા પદ્મભૂષણ, પદ્મશ્રી વગેરે ‘ભારત રત્ન’થી ઉતરતા.
‘ભારત રત્ન’ સન્માનિત અત્યાર સુધી ૪૧ મહાનુભાવો ૫૬ વર્ષમાં થયા છે જેમાં સર્વપ્રથમ ‘ભારત રત્ન’ ખિતાબ મેળવનાર ભારતના ઉપરાષ્ટ્રપતિ રહીને રાષ્ટ્રપતિ બનનાર અને મહાન વિદ્વાન ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન.
૧૯૫૪માં એ પુરસ્કાર અપાયો.
પછી અપાયો
એ પણ ભારતના પહેલા ભારતીય ગવર્નર જનરલ રહેલા ચક્રવર્તી રાજગોપાલાચારી હતા એમને.
૧૯૫૪માં ત્રીજા ભારત રત્ન પણ બનેલા.. ડોક્ટર ચંદ્રશેખર વેંકટરમણ.
૧૯૫૫માં ડોક્ટર ભગવાનદાસ, સર ડોક્ટર મોઢીગુંડમ વિએસરૈયા, પંડિત જવાહરલાલ નહેરૂ (૧૯૫૫), ગોવંિદ વલ્લભ પંત (૧૯૫૭), ડોક્ટર ઘોંડો કેશવ કર્વે (૧૯૫૮) ડોક્ટર વિધાનચંદ્ર રોય (૧૯૬૧), પુરૂષોત્તમદાસ ટંડન (૧૯૬૧), ડોક્ટર રાજેન્દ્રપ્રસાદ (૧૯૬૨), ડોક્ટર જાકીરહુસેન (૧૯૬૩), ડોક્ટર પાંડુરંગ વામન કાણે (૧૯૬૩), લાલ બહાદુર શાસ્ત્રી (મરણોપરાંત ૧૯૬૬), ઇન્દિરા ગાંધી (૧૯૭૧), વરાહગિરી વેંકટગિરી (૧૯૭૫), કે. કામરાજ (મરણોપરાંત ૧૯૭૬), મધર ટેરેસા (૧૯૮૯), આચાર્ય વિનોબા ભાવે (મરણોપરાંત ૧૯૮૩), ખાન અબ્દુલ ગફારખાન (બિન ભારતીય નાગરિક ૧૯૮૭), એમ.જી.આર. (મરણોપરાત ૧૯૮૮), ડો. ભીમરાવ આંબેડકર (મરણોપરાંત ૧૯૯૦), નેલ્સન મંડેલા (બિન ભારતીય ૧૯૯૦), રાજીવ ગાંધી (મરણોપરાંત ૧૯૯૧), સરદાર વલ્લભભાઇ પટેલ (મરણોપરાંત ૧૯૯૧), મોરારજી દેસાઇ (૧૯૯૧), મૌલાના અબ્દુલ કલામ આઝાદ (મરણોપરાંત ૧૯૯૨), જે.આર.ડી. તાતા (૧૯૯૨), સત્યજીત રે (૧૯૯૨), અબ્દુલ કલામ (૧૯૯૭), ગુલઝારીલાલ નંદા (૧૯૯૭), અરૂણા અસરફઅલી (મરણોપરાંત ૧૯૯૭), એમ.એસ. સુબ્બુલક્ષ્મી (૧૯૯૮), સી. સુબ્રમનીયમ (૧૯૯૮), જયપ્રકાશ નારાયણ (મરણોપરાંત ૧૯૯૮), પંડિત રવિશંકર (૧૯૯૯), ગોપીનાથ બોરદોઇ (૧૯૯૯ મરણોપરાંત), લતા મંગેશકર (૨૦૦૧), ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન (૨૦૦૧), પંડિત ભીમસેન જોશી (૨૦૦૮)
એક મહાન માનવ અથવા મહાન ભારતીય તરીકે ભારત સરકારે માન્યતા આપી છે... એ સિવાય આ ખિતાબનું મહત્ત્વ નથી.
બાકી આ ખિતાબ અને બીજા ખિતાબો સરકાર જે આપે છે એમાં રાજકારણ ખેલાતું હોય છે
એટલે એવા પણ કિસ્સા છે કે આ સન્માન લેવાનો ઇનકાર પણ કરવામાં આવ્યો હોય. દા. ત. ભારતના પહેલા શિક્ષણપ્રધાન મૌલાના અબ્દુલ કલામ આઝાદે એ લેવાનો ઇનકાર એમ કહીને કરેલો કે... ભારત રત્ન વિગેરે ખિતાબો આપનાર સમિતિમાં જે રહ્યું હોય એણે ઇલકાબ લેવો ન જોઇએ. જો કે પછી ૧૯૯૨માં એમણે મરણોપરાંત આ ખિતાબ એનાયત થયેલો.
એ જ રીતે નેતાજી સુભાષચંદ્ર બોઝને ૧૯૯૨માં મરણોપરાંત પુરસ્કાર આપીને સન્માનિત કરેલા પરંતુ એમનું મૃત્યુ વિવાદિત હોવાથી પુરસ્કારને મરણોપરાંત છાપ આપવાનો વિવાદ થતા એમને ભારત રત્ન બનાવેલા નહીં.
હવે અત્યારે છેલ્લા ત્રણ વર્ષથી કોઇને પણ ભારતરત્ન પુરસ્કારથી સન્માનિત નથી કર્યા અને ૧૯૫૪થી પહેલા રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદે શરૂ કરેલા આ પુરસ્કાર માટે અત્યારે લગભગ ૧૦૦ મહાનુભાવોની ભલામણ થયેલી છે.
આ ૧૦૦ નામોમાં અટલવિહારી બાજપેયી, સમાજસેવી અણ્ણા હઝારે, મહાન અભિનેતા અમિતાભ બચ્ચન, ક્રિકેટના આંતરરાષ્ટ્રિય બાદશાહ સચિન તેંદુલકર, સ્વ. કાંશીરામ, સોનિયા ગાંધી, મુલાયમસંિહ યાદવ, લાલુપ્રસાદ યાદવ, મહાન અભિનેતા દિલીપકુમાર, ચિત્રકાર એમ.એફ. હુસેન, બાબુ જગજીવનરામ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, શહીદ ભગતસંિહ, ચૌધરી ચરણસંિહ, લેખક ખુશવંતસંિહ, બંસીલાલ, પ્રકાશ પદુકોણ, મહાન ગાયક મોહમ્મદ રફી, અવકાશીબાળા સુનીતા વિલિયમ્સ, કલ્પના ચૌધરી વગેરે નામો છે.
આ ઉપરાંત કેટલાકનું માનવું છે કે આ મહાનુભાવો ઉપરાંત પણ કેટલીક મહાન વ્યક્તિઓ છે જેમના પ્રત્યે ઘ્યાન ગયું નથી. ખરેખર તેઓ પણ આ સન્માનના હકદાર છે. એવી મહાન પ્રતિભાઓમાં હંિદીના મહાન લેખક મુનશી પ્રેમચંદ, શાસ્ત્રીય ગાયક મલ્લિકાર્જુન, સંગીતકાર ડો. અશોક રાનડે, ખ્યાલ ગાયિકા મંગુબાઇ હંગલ, અર્થશાસ્ત્રી ડો. મનમોહનસંિહ, પંડિત દિનદયાલ ઉપાઘ્યાય, સાચી સમાજ સેવક બાબા આમટે, ૧૯૬૨ના યુઘ્ધના હીરો સેમ માણેકશા, ફિલ્મ હસ્તી રાજકપુર, પૃથ્વીરાજ કપુર, હોકી ખેલાડી મેજર ઘ્યાનચંદ વગેરે છે.
હવે, ભારત રત્ન કંઇ સત્ય નારાયણનો પ્રસાદ નથી કે જેટલા હાજર હોય એ બધાને વહેંચવામાં આવે.
હમણાં અભિનેતા અમિતાભ બચ્ચનનો અને ક્રિકેટર સચિન તેંદુલકરના જન્મદિન ગયા તો ‘ભારત રત્ન’ માટે એમના નામો પણ ઉછળ્યા ! આમાં જો કે સચિન તેંદુલકરનું નામ તો બે ત્રણ વર્ષથી ગુંજે છે. (‘નેટવર્ક’માં પણ એના માટે લખાયેલું.)
આમાં અમિતાભ બચ્ચનનું નામ તો હમણાં મુંબઇ શિવસેનાના બાળ ઠાકરેએ ઉચ્ચાર્યું એટલે ઉછળ્યું બાકી સચિન તેંદુલકરનું નામ ત્રણેક વર્ષથી ઉછળેલું જ છે. સચિન સિવાય ભાજપના સર્વમાન્ય નેતા અટલવિહારી વાજપેયી તથા મેજર ઘ્યાનચંદના નામો પણ ઘણા વખતથી ચર્ચાઇ છે.
હવે, આમાંથી કોને ભારતરત્ન મળવો જોઇએ અને મળવો જોઇએ તો શા માટે મળવો જોઇએ અને ન મળવો જોઇએ તો શા માટે ન મળવો જોઇએ એની ચર્ચા કરીએ તો... સચિન તેંદુલકરના આ સન્માન માટે સૌ પ્રથમ ગયા વર્ષે સચિનના જન્મદિવસે આપણા દેશની શાશ્વત ગાયિકા લતા મંગેશકરે એને ભારત રત્ન મળવો જોઇએ એવી જાહેરાત કરેલી. બાકી તો, સચિનનું નામ તો એના પ્રેમીઓ એના દરેક રેકર્ડ બ્રેક વખતે ઉત્સાહમાં બે એક વર્ષથી લેતા જ હતા.
એ પછી ૨૦૧૦ના નવેમ્બરે મઘ્યપ્રદેશના સ્થાપના દિને રાખેલા ખાસ કાર્યક્રમમાં લતાની બહેન આશા ભોંસલેને પત્રકારોએ પૂછ્‌યું કે ભારત રત્ન કોને મળવો જોઇએ ત્યારે આશા ભોંસલેની નજરમાં એ સન્માન માટે સચિનનું જ નામ આવેલું.
એ પ્રસંગે ત્યાં હાજર હતી એ ભાજપની સાંસદ અને અભિનેત્રી હેમા માલિનીએ કહેલું કે... મોટું કામ કરનાર હસ્તીઓને ભારત રત્ન પુરસ્કાર મળવો જોઇએ. એમણે ત્યારે પહેલીવાર સદીના મહાન અભિનેતા અમિતાભ બચ્ચનનું નામ લીધેલું અને પછી મહાન ખેલાડી સચિન તેંદુલકરનું નામ લીધેલું.
દરમ્યાનમાં બાળ ઠાકરેએ એમના સાપ્તાહિક ‘સામના’માં તંત્રીલેખમાં અમિતાભ બચ્ચનને ભારત રત્ન મળવો જોઇએ એવી રજૂઆત કરવા સાથે લખેલું કે અમિતાભ હિન્દી ફિલ્મી જગતનો સાચો મહાનાયક અને સાચો ભારતરત્ન છે, એને તો ભારતના સર્વોચ્ચ નાગરિક અલંકાર ભારત રત્નથી સન્માનતિ કરવો જોઇએ.
ઠાકરેએ વઘુમાં લતા મંગેશકરે અમિતાભ માટે ભારતરત્નની માંગણી કરેલી એને ટેકો આપવાની પણ જાહેરાત કરેલી. ઠાકરેએ એવું પણ સ્પષ્ટ શબ્દોમાં લખેલું કે બચ્ચનને ગાંધીકુટુંબ સાથે અણબનાવ હોવાથી કોંગ્રેસના લલ્લુપંજુઓ બચ્ચનને ઉતારી પાડવાની પ્રવૃત્તિ કરે છે પણ એની લોકપ્રિયતા દેશપરદેશમાં આપણા વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ કરતાં પણ વઘુ છે.
જ્યારે સચિન વિષે પણ લતા, આશા અને ઠાકરે આવી જ રીતે કહે છે કે સચિન ભારત રત્નનો હકદાર છે.
બાબા રામદેવે પણ કહ્યું છે કે ૨૨ વર્ષની કેરિયરમાં સચિને જે અદ્‌ભુત રમત રમીને જે દેખાવ કર્યો છે એ એને દેશરત્ન બનવા માટે સંપૂર્ણપણે લાયક છે.
બીજી બાજુ ૩ ઓક્ટોબર ૨૦૧૧ના રોજ પોતાની ફિલ્મ ‘રા-વન’નું પ્રમોશન કરતી વખતે અભિનેતા શાહરૂખખાને કહેલું કે અમિતાભનું કદ બોલિવૂડમાં ઘણું ઉંચું છે... એને ભારતરત્નથી સન્માનિત કરવો જોઇએ.
ત્રીજી બાજુ અમિતાભે ૧૨ ઓક્ટોબરે પોતાના જન્મદિને જાહેર કરેલું કે.. હું જાતે આ સન્માનને યોગ્ય નથી માનતો.. કારણ કે દેશમાં એવા ઘણા મહાનુભાવો છે કે જેમનું પ્રદાન મારા કરતાં વઘુ છે.
દરમ્યાનમાં વર્લ્ડકપ ફાઇનલમાં મળેલી જીત પછી કેન્દ્રિય પ્રધાન જ્યોતિરાદિત્ય સંિધિયાએ તો એવું કહેલું કે... સચિનને ભારતરત્ન ઘણો વહેલો મળવો જોઇતો હતો.
આ ઉપરાંત કેટલાક પ્રધાનો અને સાંસદોએ પણ સચિનને ભારતરત્ન આપવાની માંગણી કરી છે.
આ તબક્કે પ્રશ્ન એ થાય છે કે... સચિન ક્રિકેટનો અને અમિતાભ બચ્ચન અભિનયનો ભગવાન ગણાય છે પણ એમણે એમનું જીવન નિસ્વાર્થ ભાવનાથી જીવ્યું છે. એમની કારકિર્દીની એમણે શું કંિમત નથી લીધી? સંપૂર્ણપણે ધંધાદારી વિચાર અને આચાર ધરાવનારને દેશના સર્વોચ્ચ સન્માનથી નવાજવાના કારણે એ સન્માનની ગરિમા શું ઓછી નહીં થાય?
આ બંને બધી રીતે પોતપોતાના ક્ષેત્રમાં મહાન છે પણ એમણે કદી એક ડગલું પણ રૂપિયા પૈસા જોયા વિના ભર્યું છે ખરૂં ?
એક બાજુ મહારાષ્ટ્ર વિધાનસભાએ સચિનને ભારતરત્ન ખિતાબ આપવા માટે સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો એ તરત જ ઝારખંડે પણ એના ખેલાડી ધોનીને પણ ભારત રત્ન આપવાની માગણી કરી.
સચિન અને અમિતાભે પોતાની કમાણીનો ઉપયોગ આજ સુધી કોઇ સામાજિક કે રાષ્ટ્ર ઉપયોગી કાર્યો માટે નથી કર્યો. આ બનેએ દેશ માટે શું કર્યું છે?
આ પ્રકારના વિવાદના કારણે બંને હજી સુધી ભારત રત્નથી વંચિત રહ્યા છે.
- ગુણવંત છો. શાહ

 

મસાલા ચાટ!
જનતાને છેતરવામાં અને દંભ કરવામાં ભાજપને કોઇ ન પહોંચે!
ભાજપ એટલે ભ્રષ્ટાચાર, દંભ, છેતરપંિડી, ગોબેલ્સ વગેરે વગેરે ઘણું ઘણું!
દા.ત.ચૂંટણીઓ આવે એટલે એનો સરદાર પટેલ માટેનો પ્રેમ અને મુસ્લિમો માટેનો પ્રેમ એકદમ જાગી ઉઠે છે!
દા.ત.ઉત્તર પ્રદેશમાં ચૂંટણીઓ નજદીક છે એટલે એનો સરદાર પટેલનો માટેનો પ્રેમ ઉભરાવા લાગે છે. સરદાર પટેલની ૧૩૬મી જન્મજયંતિ હમણાં એણે ઉત્તરપ્રદેશમાં ઠેર ઠેર ઉજવેલી. ઉત્તરપ્રદેશમાં કામ કરી રહેલા મઘ્યપ્રદેશના નેતા ઉમા ભારતી એ દરેક સ્થળે અચુક હાજર રહેલા.
જ્યારે એ જ સરદાર પટેલની પ્રતિમા ઉપર પગ રાખીને એ જ ભાજપના ગુજરાતના કાર્યકરો રથયાત્રા માટે તોરણ બાંધતા હતા.
આ ઉપરાંત દિલ્લીમાં કેન્દ્ર સરકાર સંસદના મઘ્યસ્થ ખંડમાં સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણી કરતી હતી ત્યાં ભાજપનો એક પણ નેતા સમ ખાવા પુરતો પણ હાજર નહોતો!

 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ઈન્ડિયન કલ્ચરને ફિલ કરવા કેનેડિયન સ્ટુડન્ટ્‌સ અમદાવાદમાં
સચીન ભલે સદી ચૂકી ગયો પણ અમે નથી ચૂક્યા
શહેરની સરગમમાં સૂફીના સૂર રેલાશે

ત્રણ દરવાજાના ગોખમાં લક્ષ્મીજીની જ્યોત અખંડ રાખતો મુસ્લિમ યુવાન

૭૫ હજાર દિવાસળી વડે તાજમહેલનુ નિર્માણ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved